મુખ્ય સામગ્રી પર જાઓ

ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

<p>રાજ્યના ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજથી ત્રણ સપ્ટેંબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જે પ્રમાણે કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોએ થોડો રાહતનો દમ લીધો છે.</p> <p><strong>બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ</strong></p> <p>બનાસકાંઠા જિલ્લામાં સોમવારે મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલનપુર, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, ધાનેરા સહિતના તાલુકામાં રાતે ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે પાલનપુરના દિલ્લી ગેટ બિજેશ્વરી કોલોનીમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. છેલ્લા દોઢ મહિના બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોનો જે પાક સુકાઈ રહ્યો હતો. તેને જીવનદાન મળ્યું છે.</p> <p><strong>અમદાવાદ એરપોર્ટ પર શેડ્યૂઅલ ખોરવાયા</strong></p> <p>વરસાદી માહોલના કારણે અમદાવાદ એયરપોર્ટ પરથી ઓપરેટ થતી 10થી વધારે ફ્લાઈટનું શેડ્યુલ ખોલવાયુ છે. ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે અમદાવાદથી ઓપરેટ થતી દિલ્લી અને ચૈન્નઈની ફ્લાઈટ રદ કરવામાં આવી. તો અનેક ફ્લાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે બાદમાં 20થી 2 કલાક સુધી રદ થયા બાદ ફ્લાઈટે ઉડાન ભરી હતી.</p> <p><strong>વરસાદમાં કૃષ્ણ જન્મોત્સવ</strong></p> <p>રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં પણ કૃષ્ણ જન્મોત્સવ મનાવાયો હતો. કૃષ્ણ જન્મ સમયે જ ગોંડલ ગ્રામ્યમાં મધરાત્રીના ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે જ કૃષ્ણ જન્મ સાથે મેઘમહેર થતા ગ્રામજનોએ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા ગણી વરસાદના પણ વધામણા કર્યા છે. ગોંડલના મોટા ઉમવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીના સમયે વરસાદ નોંધાયો હતો.</p> <p><strong>ખેડૂતો મુશ્કેલીમાં</strong></p> <p>દ્વારકા જિલ્લો જ્યાં છેલ્લા 48 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સૂકાવા લાગ્યો છે. દ્વારકા સહિત રાજ્યભરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. દ્નારકા જિલ્લામાં સિઝનનો 39.16 ટકા અને માત્ર 11 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં ભાણવડ તાલુકામાં 34.40 અને 9 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 44.37 ટકા અને 6 ઈંચ, ખંભાળિયામાં 43.49 ટકા અને 13 ઈંચ વરસાદ વરસ્યો. એવામાં અમારા સંવાદદાતા ખેડૂતોનું દર્દ જાણવા જિલ્લાના ગઢેચી ગામ પહોંચ્યા અને ખેડૂતોનું દર્દ જાણવાનો પ્રયાસ કર્યો.</p>

from gujarat https://ift.tt/2WAPuX9

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...