મુખ્ય સામગ્રી પર જાઓ

India Coronavirus Updates: દેશમાં કોરોના સંકટ યથાવત, 24 કલાકમાં નવા 36 હજાર કેસ નોંધાયા, 493ના મોત

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દરરોજ 40 હજાર નજીક નવા કેસ નોંધાઇ રહ્યા છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 36,083 નવા કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 493 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક દિવસ અગાઉ દેશમાં 38,667 કેસ નોંધાયા હતા. જ્યારે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 37,927 લોકો કોરોનાથી સ્વસ્થ થયા હતા એટલે કે ગઇકાલે 2337 એક્ટિવ કેસ ઓછા થયા હતા.</p> <p>કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 21 લાખ 92 હજાર લોકો સંક્રમિત થયા છે. જેમાંથી ચાર લાખ 31 હજાર 225 લોકોના મોત થઇ ચૂક્યા છે. સારી વાત એ રહી હતી કે અત્યાર સુધી ત્રણ કરોડ 13 લાખ 76 હજાર લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે ચાર લાખથી ઓછી થઇ ગઇ છે. દેશમાં હાલમાં 3 લાખ 85 હજાર કોરોના ગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે.</p> <p>કોરોનાના કુલ કેસ&nbsp;- ત્રણ કરોડ 21 લાખ 92 હજાર 576</p> <p>કુલ ડિસ્ચાર્જ&nbsp;- ત્રણ કરોડ 13 લાખ 76 હજાર 15</p> <p>કુલ એક્ટિવ કેસ&nbsp;- ત્રણ લાખ 85 હજાર 336</p> <p>કુલ મૃત્યુ&nbsp;- ચાર લાખ 31 હજાર 225</p> <p>કુલ રસીકરણ&nbsp;- 54 કરોડ 38 લાખ 46 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા</p> <p>[tw]https://twitter.com/ANI/status/1426756465025380358[/tw]</p> <p>કેરલમાં શનિવારે કોરોનાના 1,39,223 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 19,451 લોકો પોઝિટીવ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 105 લોકોના મોત થયા હતા. આ સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 18,499 સુધી પહોંચી ગયો છે.</p> <p><br /><strong>54 કરોડથી વધુ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં 54 કરોડ 38 લાખ 46 હજાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. છેલ્લા એક દિવસમાં 73.50 લાખ ડોઝ આપવામાં આવ્યા. આઇસીએમઆરના મતે અત્યાર સુધીમાં દેશમાં 49 કરોડ 36 લાખ કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. છેલ્લા એક દિવસમાં લગભગ 19.23 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી પોઝિટીવિટીનો રેટ 3 ટકાથી ઓછો છે</p>

from india https://ift.tt/37KsmHW
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...