India Monsoon Update: બંગાળ અને મધ્ય પ્રદેશમાં જળબંબાકાર, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, જાણો અપડેટ
<p><strong>India Monsoon Update:</strong> સમગ્ર દેશમાં ચોમાસુ વરસાદ ચાલુ છે. બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ સહિત તમામ રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. બુધવારે પશ્ચિમ બંગાળમાં પૂરની સ્થિતિ વધુ વણસી હતી અને વધુ આઠ લોકોના મોત બાદ મૃત્યુઆંક 23 પર પહોંચ્યો હતો. દક્ષિણ બંગાળમાં પહેલેથી જ ગંભીર પૂરની સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. હવામાન વિભાગે ગુરુવારે સવાર સુધી પૂરગ્રસ્ત જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોએ પશ્ચિમ બંગાળમાં નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો અને પૂરની ચેતવણી પણ આપી છે.</p> <p>મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે આવેલા પૂરે ભારે વિનાશ લાવ્યો છે. ગ્વાલિયર ચંબલ ઝોનમાં પૂરને કારણે મોટું નુકસાન થયું છે. રાજ્યના ઉત્તરીય ભાગના 1250 થી વધુ ગામોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ગંભીર બની છે. 6,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે 1950 લોકો હજુ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ચંબલ નદીમાં પાણી સતત વધી રહ્યું છે. કોટા બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે પાણીનું સ્તર પણ વધુ વધે તેવી શક્યતા છે.</p> <p><strong>દેશભરના અન્ય રાજ્યોની હવામાન સ્થિતિ</strong></p> <p>ભારે વરસાદને કારણે બુધવારે રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક મકાન પર દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં રહેનારા સાત લોકોના મોત થયા હતા. રાજસ્થાનના હાડોટી વિસ્તારમાં, સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને સોથી વધુ ગામોનો માર્ગ સંપર્ક તૂટી ગયો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું, "કોટા, બરન, બુંદી અને ઝાલાવાડમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાહત અને બચાવ કામગીરી માટે વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે."</p> <p>દરમિયાન, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી ત્રણથી ચાર દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પંજાબ અને હરિયાણામાં મોટાભાગના સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્યની આસપાસ રહ્યું હતું. ઉત્તરપ્રદેશમાં પણ હળવો વરસાદ થયો છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં ગુરુવારે અનેક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં 1950 લોકો હજુ પણ ફસાયેલા છે. રાજ્યના શિયોપુર જિલ્લાના કેટલાક ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે પરંતુ ત્યાં ફસાયેલા લોકો સુરક્ષિત છે.</p>
from india https://ift.tt/3ChwT2I
via IFTTT
from india https://ift.tt/3ChwT2I
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો