મુખ્ય સામગ્રી પર જાઓ

Lockdown: દેશમાં હજુપણ આ રાજ્યોમાં લાદેલુ છે લૉકડાઉન અને પ્રતિબંધો, જાણો વિગતે

<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશભરમાં કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનો ખતરો વર્તાઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરાકરે સાવધ થઇ ચૂકી છે. પરંતુ આ બધાની વચ્ચે હજુ પણ દેશના કેટલાક રાજ્યો એવા છે જ્યાંથી કોરોના ગયો નથી કે ઓછો પણ થયો નથી, જેના કારણે કેટલાક પ્રતિબંધો અને લૉકડાઉનની સ્થિતિ યથાવત છે. જાણો અહીં દેશના કયા કયા રાજ્યોમાં લૉકડાઉન, કર્ફ્યૂ કે પાબંદીઓ લાદેલી છે....</p> <p><strong>નાગાલેન્ડમાં લૉકડાઉન-</strong><br />નાગાલેન્ડમાં કોરોનાના કારણે લૉકડાઉનની સ્થિતિ છે, જોકે કોરોનાના કેસો હજુ ઓછા થતાં ત્યાં સરકારે અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નાગાલેન્ડમાં આજથી 18 દિવસો માટે અનલૉકનો ચોથો તબક્કો પ્રભાવી થશે. રાજ્યમાં અનલૉકનો પહેલો તબક્કો 1 થી 7 જુલાઇ સુધી, બીજો તબક્કો 8-17 જુલાઇ રહ્યો, જ્યારે 18 જુલાઇથી અમલી થયો હતો. હવે મુખ્યમંત્રી નેકિયૂ રિયોની અધ્યક્ષતામાં આજથી 1-18 ઓગસ્ટ સુધી ચોથો તબક્કો અમલી કરવામા આવી રહ્યો છે.&nbsp;</p> <p><strong>મહારાષ્ટ્રમાં લૉકડાઉન-</strong><br />મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો હવે ઘટી રહ્યાં છે, આ વાતને ધ્યાનમાં રાખીને સરકાર પ્રતિબંધો હળવા કરી રહી છે. જોકે રવિવારે રાજ્યમાં હજુપણ પૂર્ણ લૉકડાઉન યથાવત રહેશે. આ ઉપરાંત રસીકરણ વાળા લોકોને મુંબઇની લૉકલ ટ્રેનોમાં યાત્રા કરવાની અનુમતિ આપવામાં આવી છે.&nbsp;</p> <p><strong>કેરાલમાં કોરોનાનો કેર યથાવત-</strong><br />કેરાલમાં સતત ચોથા દિવસે એટલે કે શુક્રવાર 30 જુલાઇએ 20 હજારથી વધુ કોરોના કેસો આવતા સરકાર એક્શનમાં આવી ગઇ છે. આને લઇને આખા રાજ્યોમાં વીકેન્ડની લૉકડાઉન લગાવી દીધુ છે, જે સોમવાર 2 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.&nbsp;</p> <p><strong>પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધો-</strong><br />પશ્ચિમ બંગાળમાં સરકારે પહેલાથી લાગુ થયેલા પ્રતિબંધો 15 ઓગસ્ટ સુધી લંબાવી દીધા છે. જોકે, સરકારે કેટલાક મામલાઓમાં છૂટ આપી છે. રાજ્યમાં બસો, ઓટો, ટેક્સીઓ 50 ટકા ક્ષમતા સાથે દોડી શકશે. &nbsp;</p> <p><strong>મધ્યપ્રદેશમાં પ્રતિબંધો યથાવત-</strong><br />રાજ્ય સરકારે કેટલીક સેવાઓ પર પ્રતિબંધો યથાવત રાખ્યા છે. આંતરરાજ્યો બસ સેવાએ પર 28 જુલાઇ સુધી પ્રતિબંધો લાગુ હતા, પરંતુ હવે તેને એક અઠવાડિયા સુધી લંબાવી દીધા છે. ખાસ વાત છે કે બુધવાર સુધી મહારાષ્ટ્રમાંથી કોઇપણ બસને સંચાલિત કરવાની અનુમતિ નથી આપવામાં આવી. &nbsp;</p> <p><strong>તામિલનાડુમાં વધ્યો કોરોના-</strong><br />તામિલનાડુમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. કેટલાક શહેરોમાં રાફડો ફાટતા સરકારે કડક એક્શન લીધી છે. સરકારે કેટલાક માર્કેટોમાં ભીડને એકઠી થતી રોકવા માટે પ્રતિબંધો લગાવી દીધા છે, લોકોને નિયમોનુ કડક પાલન કરવાની અપીલ કરી છે.&nbsp;</p>

from india https://ift.tt/37dIrpm
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...