મુખ્ય સામગ્રી પર જાઓ

Olympic Winners: દિલ્હીમાં ઓલિમ્પિક વિજેતાઓનું કરાયું સન્માન, નીરજ ચોપરાએ કહ્યું- આ ગોલ્ડ મેડલ મારો નહીં પણ સમગ્ર દેશનો

<p>નવી દિલ્હી: દિલ્હીમાં ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતાઓનો અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા, બ્રોન્ઝ વિજેતા પહેલવાન બજરંગ પૂનિયા, બ્રોન્ઝ જીતનારી ભારતીય પુરુષ હોકી ટીમ, બ્રોન્ઝ વિજેતા લવલીના બોરગોહેન અને સિલ્વર મડલ વિજેતા રવિ દહિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કેંદ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેંદ્રીય મંત્રી કિરેન રિજિજૂ અને કેંદ્રીય રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણિક સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. ભારતીય હોકી ટીમના ચીફ કોચ ગ્રાહમ રીડ અને ઈન્ડિયન વુમન બોક્સિંગ ટીમના હેડ કોટ રાફેલ બર્ગમાસ્કોનું પણ અભિનંદન કરવામાં આવ્યું હતું.</p> <p><strong>આ ગોલ્ડ મેડલ સમગ્ર દેશનો-નીરજ ચોપરા</strong></p> <p>ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ કહ્યું, &ldquo;બધાનો આભાર! આ ગોલ્ડ મેડલ મારો નહી સમગ્ર દેશનો છે. મને લાગે છે કે તમે તમારુ 100 ટકા આપો અને કોઈથી ડરો નહી.&rdquo;</p> <p>નીરજ ચોપરાએ કહ્યું- આ મારો નહીં પણ સમગ્ર દેશનો મેડલ છે. જે દિવસથી મેડલ આવ્યો છે ત્યારથી હું ખાઈ શકતો નથી કે ઊંઘી શકતો નથી. ત્યારથી હું મારા ખીસ્સામાં મેડલ લઈને ફરી રહ્યો છું. સમર્થન આપવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ગોલ્ડ મેડલ જીતવો તે મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે.</p> <p>દિલ્હી એરપોર્ટ પર ઓલિમ્પિક સ્ટાર્સના સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહ્યા હતા. પત્રકારો પણ ઈન્ડિયન એથ્લીટ્સની પ્રતિક્ષા કરી રહ્યા હતા. એરપોર્ટની બહાર ઢોલ-નગારા સાથે ભારત માતાની જય-જયકારના નારા સાથે તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.&nbsp;</p> <p class=""><strong>ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન મેડલિસ્ટ</strong></p> <p>&nbsp;</p> <div class="_66b0012b"> <ul class="_30fda30c"> <li>નીરજ ચોપરા- ગોલ્ડ (ભાલા ફેંક)</li> <li>રવિ દહિયા- સિલ્વર (રેસલિંગ)</li> <li>મીરાબાઈ ચાનૂ- સિલ્વર (વેઇટલિફ્ટિંગ)</li> <li>પીવી સિંધુ- બ્રોન્ઝ (બેડમિન્ટન)</li> <li>લવલીના બોરગોહેન- બ્રોન્ઝ (બોક્સિંગ)</li> <li>બજરંગ પૂનિયા- બ્રોન્ઝ (રેસલિંગ)</li> <li>પુરુષ હોકી ટીમ - બ્રોન્ઝ&nbsp; &nbsp;&nbsp;</li> </ul> </div>

from india https://ift.tt/3CxNQWz

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...