મુખ્ય સામગ્રી પર જાઓ

દેશમાં રસીકરણનો નવો રેકોર્ડઃ એક જ દિવસમાં 1.32 કરોડથી વધારે ડોઝ અપાયા, અત્યાર સુધીમાં કુલ 65 કરોડ ડોઝ

<p><strong>નવી દિલ્હી:</strong> કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં કોરોના રસીકરણ અંગે નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ભારતે એક દિવસમાં 1 કરોડ 32 લાખથી વધુ રસી ડોઝ આપીને પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો છે.</p> <p>31 ઓગસ્ટના રોજ એક દિવસમાં 1 કરોડ 32 લાખ 45 હજાર 266 ડોઝ આપવામાં આવ્યા હતા. તેમાં 1 કરોડ 35 હજાર 652 પ્રથમ ડોઝ અને 32 લાખ 9 હજાર 614 સેકન્ડ ડોઝનો સમાવેશ થાય છે. આ સાથે ભારતે અત્યાર સુધીમાં 65 કરોડ 32 લાખ ડોઝ આપ્યા છે.</p> <p>ભારતમાં કુલ ડોઝનો આ આંકડો કેટલો મોટો છે. તેને આ રીતે સમજી શકાય છે કે તે અમેરિકાની કુલ વસ્તીના બમણો છે. એટલે કે એકલા ભારતે અત્યાર સુધી અમેરિકાની વસ્તીની બમણી જેટલી રસી ડોઝ આપ્યા છે.</p> <p>છેલ્લા એક સપ્તાહમાં ભારતે દરરોજ સરેરાશ 74 લાખથી વધુ રસી ડોઝ આપ્યા છે. તે સ્પષ્ટ છે કે વિશ્વનો કોઈ દેશ ભારત જેટલી ઝડપથી રસીકરણ નથી કરી રહ્યું.</p> <p>આજે ભારત દરરોજ સૌથી વધુ રસી આપવાની બાબતમાં પ્રથમ ક્રમે છે. ભારત બાદ બ્રાઝિલ બીજા નંબરે છે. પરંતુ તે દરરોજ ભારતની 74.09 લાખ રસીઓની સરખામણીમાં દરરોજ ચોથા ભાગથી પણ ઓછી એટલે કે 17.04 લાખ રસીના ડોઝ આપી રહ્યું છે.</p> <p>રસીકરણની બાબતમાં ભારતે સૌથી ઓછા સમયમાં એટલે કે 114 દિવસમાં 170 મિલિયન કોવિડ રસી ડોઝ આપીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે અમેરિકાને 170 મિલિયન ડોઝ આપવામાં 115 દિવસ અને ચીનને 119 દિવસ લાગ્યા હતા.</p> <p>હિમાચલ પ્રદેશમાં 18 વર્ષથી ઉપરના 100 ટકા લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. આ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બરના રોજ રાજ્યના આરોગ્ય કર્મચારીઓને અભિનંદન આપશે. જ્યારે CM જય રામ ઠાકુરે દુર્ગમ વિસ્તારોમાં જઈને રસીકરણ કરવા બદલ આરોગ્ય કર્મચારીઓને અભિનંદન આપ્યા છે.</p> <p>મધ્ય પ્રદેશનું ઇન્દોર પણ પ્રથમ ડોઝના કિસ્સામાં 100% રસીકરણ થયું છે. ભારતમાં ઓછામાં ઓછા આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં 75 ટકાથી વધુ વસ્તીને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.</p>

from india https://ift.tt/38wj6Y9

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...