મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત બોર્ડે 19 વિદ્યાર્થીઓ માટે કર્યું પરીક્ષાનું આયોજન, જાણો કેમ

<p>ધોરણ 12 સાયન્સ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત શિક્ષણ બોર્ડ વૈકલ્પિક પરીક્ષા લેશે. જે 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો કે માત્ર 19 વિદ્યાર્થીઓએ જ માર્કશીટ જમા કરાવતા બોર્ડ હવે માત્ર 19 વિદ્યાર્થીઓ માટે જ પરીક્ષા લેશે.</p> <p>ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી એમ ચાર દિવસ પરીક્ષા ચાલશે. સવારે દસથી બપોરના એક વાગ્યાને 15 મિનિટ સુધી અને બપોરે અઢી વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાને 45 મિનિટ સુધીનો રોજના બે સેશનમાં પરીક્ષા લેવાશે.</p> <p>27 સપ્ટેમ્બરે પ્રથમ દિવસે સવારે અંગ્રેજી પ્રથમ, દ્વિતિય ભાષા તેમજ બપોરે ગુજરાતી, હિંદી પ્રથમ ભાષા અને ગુજરાતી દ્વિતિય ભાષાનું પેપર રહેશે.</p> <p>28 સપ્ટેમ્બરે સવારે અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાન તેમજ બપોરે એકાઉંટ, મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રનું પેપર રહેશે.</p> <p>29 સપ્ટેમ્બરે સવારે સ્ટેટ, હિસ્ટ્રી અને હિંદી દ્વિતિય ભાષા વિષયની તેમજ બપોરે એસપી, વાણિજ્ય, પત્રવ્યવહાર અને સંસ્કૃતની પરીક્ષા લેવાશે.</p> <p>30 સપ્ટેમ્બરે સવારે વાણિજ્ય વ્યવસ્થા, ભુગોળ, અને બપોરે કોમ્પ્યુટર તથા સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવાશે. જ્યાં</p> <p>12 સાયન્સમાં માત્ર 65 વિદ્યાર્થીઓએ માર્કશીટ જમા કરાવી હતી અને પરીક્ષા માત્ર 54 વિદ્યાર્થીએ જ આપી હતી. ત્યારે 12 સામાન્ય પ્રવાહમાં માત્ર 19 જ વિદ્યાર્થીએ માર્કશીટ જમા કરાવી છે. 12 સાયન્સ માટે અમદાવાદમાં જ સેંટર હતુ અને 12 સામાન્ય પ્રવાહ માટે ગાંધીનગર એક જ સેંટર રાખવામાં આવ્યું છે.</p> <h2>આ વર્ષથી NEET-JEEનું ફ્રી કોચિંગ આપશે સરકાર, જાણો પહેલા ક્યા વિદ્યાર્થીઓને મળશે તેનો લાભ</h2> <p>રાજ્ય સરકાર આ વર્ષથી રાજ્યના બે હજાર વિદ્યાર્થીને નીટ અને જેઈઈનું ફ્રી કોચિંગ આપશે. ચાલુ વર્ષે પ્રથમ લાભ ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓને મળશે. કોચિંગ મેળવવા માટે ટોપ બે હજાર વિદ્યાર્થીઓ પસંદ કરવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષા લેશે. સરકાર દ્વારા ફ્રી કોચિંગ માટે આઉટસોર્સિંગથી કોચિંગ એજંસી નિમવામાં આવશે. જેની ફેકલ્ટી રાજ્યના ચાર ઝોનના સેંટરોમાં ફ્રી કોચિંગ આપશે.</p> <p>ગુજરાત સરકાર હવે રાજ્યના ધોરણ 11-12 સાયંસના વિદ્યાર્થીઓને ઈજનેરી પ્રવેશ માટેની રાષ્ટ્રીય પરીક્ષા જેઈઈ મેઈન અને મેડિકલ પ્રવેશ માટેની રાષ્ટ્રીય કોમન પરીક્ષા નીટનું પ્રોફેશનલ કોચિંગ આપવા જઈ રહી છે. આ માટે સરકારે કોચિંગ ઈંસ્ટીટ્યુટને આઉટ સોર્સિંગ એંજસી તરીકે નીમવામાં આવશે. અને જેની ફેકલ્ટીથી રાજ્યના બે હજાર વિદ્યાર્થીને દર વર્ષે ફ્રી કોચિંગ આપવામાં આવશે.</p> <p>સરકારની સૂચનાથી ગુજરાત શિક્ષણ બોર્ડે કોચિંગ સર્વિસ માટે ઈંસ્ટિટ્યુટ-એજંસીઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે. બોર્ડે તમામ બાબતોને આધારે એક ઈંસ્ટિટ્યુટ-સંસ્થા ફાઈનલ કરવામાં આવશે.</p> <p>ગુજરાત બોર્ડે રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર ઝોન નક્કી કર્યા છે. આ ચારેય ઝોનમાં એક્સલંસ સ્કૂલો પર સેંટર ઉભા કરાશે. દરેક ઝોનમાં 500-500 વિદ્યાર્થીને ફ્રી કોચિંગ આપવામાં આવશે. આ વર્ષે સૌપ્રથમ લાભ ચાલુ વર્ષના ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓને મળશે. ત્યાર બાદ ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે કોચિંગ શરૂ કરાશે.</p>

from gujarat https://ift.tt/3zhdhJk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...