મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યના 194થી વધુ તાલુકામાં મેઘમહેર, જૂનાગઢના માંગરોળમાં 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર

<p>લાંબા વિરામ બાદ બુધવારે રાજ્યના 194થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. &nbsp;મંગળવારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે બુધવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જૂનાગઢના માંગરોળમાં તો 12 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં પણ સતત વરસાદ ચાલુ રહેતા બુધવારે સાંજના છ વાગ્યા સુધીમાં 36 કલાકમાં 19 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વાપીરમાં પણ 36 કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.</p> <p>સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો તાલાલામાં સાડા છ ઈંચ, ઉના અને કેશોદમાં પાંચ પાંચ ઈંચ. તો વિસાવદરમાં પણ ધોધમાર પાંચ ઈચ જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. આ સિવાય ખંભાળીયા, કલ્યાણપુર, ગીર ગઢડા, વેરાવળ, ચોટીલા, અને ગોંડલ તાલુકામાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી હતી.</p> <p>સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સુરેંદ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લામાં પણ પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ સોરઠ અને&nbsp; ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો હતો. જેમાં માંગરોળમાં 12 ઈંચ, ગડુ-માળીયામાં આઠ ઈંચ, તાલાલામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે હાઈવે પર પાણી ભરાયા તો સ્થાનિક નદી-નાળામાં પણ નવા નીર આવ્યા હતા.</p> <p><strong>દક્ષિણ ગુજરાતમાં વરસાદ</strong></p> <p>દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે. જેમાં વલસાડના ઉમરગામમાં બુધવારે પણ આઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો વાપીમાં પાંચ ઈંચ જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં સતત બીજા દિવસે આઠ ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. બીજી તરફ જંગલ વિસ્તાર ધરમપુર, કપરાડામાં પણ ખુબ જ ઓછો વરસાદ નોંધાઈ રહ્યો છે. જ્યારે સુરત જિલ્લામાં પણ ચોર્યાસી, માંગરોલ તો તાપી, નવસારી, ડાંગ, જલાલપોર, ગણદેવી, નિઝર, કુકરમુંડામાં પણ એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.</p>

from gujarat https://ift.tt/3zGqhsN

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...