મુખ્ય સામગ્રી પર જાઓ

મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલ હેરોઈનની બજાર કિંમત અધધધ 21,000 કરોડ રૂપિયા, તાલિબાન અને ISI કનેક્શનની આશંકા

<p><br />મુંદ્રા પોર્ટ પરથી ડીઆરઆઈએ પકડી પાડેલા ત્રણ હજાર કિલો હેરોઈનની કિંમત હવે 21 હજાર કરોડ આંકવામાં આવી રહી છે. હેરોઈનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાની અને તાલિબાન અને આઈએસઆઈ કનેક્શનની આશંકાથી એનઆઈએ અને ગુજરાત ATS જેવી એજંસીઓ તપાસમાં જોતરાય તેવી શક્યતા છે. બીજી તરફ હેરોઈનની કિંમત 21 હજાર કરોડ થતા ઈડીએ મની લોંડરીંગ અંગે પણ તપાસ શરૂ કરી છે.</p> <p>દેશમાં ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો પકડાવાના કેસમાં ડીઆરઆઈની એક ટીમે દિલ્લીથી બે અફઘાની નાગરિક સહિત ત્રણની અટકાયત કરી છે. બીજી તરફ ટેલ્કમ પાઉડર સાથે ડ્રગ્સ ઈમ્પોર્ટ કરનાર દંપતિને લઈ ડિઆઈરઆઈએ તપાસનો દોર મુંદ્રા, ગાંધીધામ, માંડવી, અમદાવાદ, દિલ્લી અને ચેન્નાઈ સુધી લંબાવ્યો છે.</p> <p>મુંદ્રા પોર્ટ પર વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીના સેમી પ્રોસેસ્ડ ટેલ્કમ પાઉડરના કંટેનર આવ્યા હતા. તેમાં હેરોઈન ડ્રગ્સ હોવાની બાતમીથી ડીઆરઆઈની ટીમે તપાસ કરી 15 સપ્ટેમ્બરે એક કંટેનરમાંથી એક હજાર 999.579 કિલોગ્રામ, ચાર દિવસ પછી બીજા કંટેનરમાંથી 988.64 કિલો ગ્રામ હેરોઈનનો જથ્થો કબ્જો કર્યો હતો. મુંદ્રા પોર્ટ પર આયાત કરેલા કંટેનરમાંથી મળેલા કુલ 2988.219 કિલોગ્રામ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 21 હજાર કરોડ ગણાઈ રહી છે.</p> <p>અફઘાનિસ્તાનથી પાઉડર ફોર્મમાં 90 ટકા હેરોઈનનો જથ્થો ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી ટેલ્કમ પાઉડર સાથે મુંદ્રા પોર્ટ પર આવેલા ઈંટર સીડની નામના વહાણમાંથી ઉતરેલા કંટેઈનરમાં મોકલાયો હતો. પાઉડર સાથે હેરોઈન ઈમ્પોર્ટ કરનાર ચેન્નાઈના વિજયવાડામાં રહેતા દંપતિ ગોવિંદારાજુ દુર્ગા પૂર્ણ વૈશાલી અને તેના પતિ મચ્છાવરમ સુધાકરની ધરપકડ કરીને દસ દિવસના રિમાંડ દરમિયાન ડીઆરઆઈની ટીમે તપાસ હવે ચેન્નાઈ, વિજયવાડા અને દિલ્લી સુધી લંબાવી છે.</p> <p>હેરોઈનનો આ જથ્થો અફઘાનિસ્તાનના કંદહાર સ્થિત હસન હુસેન લિમિટેડના નામે એક્સપોર્ટ કરવામાં આવ્યો હતો. આમ અફઘાનિસ્તાનથી હેરોઈનનો જથ્થો આવ્યો હોવાથી ડ્રગ્સની હેરાફેરીમાં આઈએસઆઈ અને તાલિબાનની સંડોવણી હોવાની સંભાવના પણ એજંસી જોઈ રહી છે.</p> <p>સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે ટેલ્કમ પાઉડર જેવા સ્વરૂપમાં મળી આવેલા હેરોઈન પર છેલ્લી પ્રોસેસ બાકી હતી. પ્યોર હેરોઈન બનાવવા માટે દસ ટકા જેવી પ્રોસેસ કરવાની બાકી હતી. અને એ માટે દિલ્લીમાં આ જથ્થો મોકલવામાં આવવાનો હતો. દિલ્લીમાં દસ ટકા પ્રોસેસ કરીને હેરોઈનનોને સ્થાનિક ડ્રગ્સ ડિલર્સ થકી દેશભરમાં વેચવાનો કારસો હતો.</p>

from gujarat https://ift.tt/3ktIXH6

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...