<p>પાટડી નગરપાલિકા દ્વારા નવનિર્મીત કામધેનુ સર્કલ તથા પાટડી મેઇન ચાર રસ્તા પાસે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાંની અનાવરણ વિધી કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના રાજકારણીઓની હાજરીમાં યોજાયેલા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા અનાવરણ વિધી કાર્યક્રમમાં 12થી 15 લોકોના ખીસ્સા કપાતા લોકો ફરીયાદ કરવા પાટડી પોલિસ મથકે દોડી ગયા હતા. આટલો મોટો બંદોબસ્ત હોવા છતાં ખિસ્સા કાતરુઓને મોકળું મેદાન મળ્યું હતું.</p>
from gujarat https://ift.tt/3ADCnU5
from gujarat https://ift.tt/3ADCnU5
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો