મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાઈ જશે, જાણો બીજું પણ કોણ જોડાશે ? કેમ પસંદ કર્યો આ દિવસ ?

<p><strong>નવી દિલ્હીઃ</strong>&nbsp;CPI નેતા અને જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી 28 સપ્ટેમ્બરના રોજ કોગ્રેસમાં સામેલ થશે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સીપીઆઇ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આગામી 28 સપ્ટેમ્બરના રોજ કોગ્રેસમાં સામેલ થશે. જોકે, હજુ સુધી કોગ્રેસ પાર્ટી અને સંબંધિત નેતાઓએ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.</p> <p>અગાઉ એવી જાણકારી સામે આવી હતી કે કન્હૈયા કુમાર કોગ્રેસ પાર્ટીના સંપર્કમાં છે. છેલ્લા દિવસોમાં તેમણે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. કન્હૈયા કુમારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સ્તર પર ભાજપ વિરુદ્ધ જો કોઇ એક નેતા ટક્કર લઇ શકે તેમ હોય તો તે રાહુલ ગાંધી છે. એવામાં કન્હૈયા કુમારને લાગે છે કે રાહુલ ગાંધી અને કોગ્રેસ પાર્ટીને મજબૂત કરવી જરૂરી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">सीपीआई नेता कन्हैया कुमार और गुजरात से आरडीएएम विधायक जिग्नेश मेवानी 28 सितंबर को कांग्रेस में शामिल होंगे: सूत्र<br /><br />(फाइल तस्वीर) <a href="https://t.co/QRqyk4i9nd">pic.twitter.com/QRqyk4i9nd</a></p> &mdash; ANI_HindiNews (@AHindinews) <a href="https://twitter.com/AHindinews/status/1441680007613452293?ref_src=twsrc%5Etfw">September 25, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>સૂત્રોના મતે રાહુલ ગાંધી દેશભરમાં ભાજપ વિરોધી યુવા નેતાઓની નવી ટીમ બનાવી રહ્યા છે. આ ટીમનો મહત્વનો સભ્ય કન્હૈયા કુમાર હોઇ શકે છે. સૂત્રોના મતે કોગ્રેસમાં કન્હૈયા કુમારની ભૂમિકા રાષ્ટ્રીય સ્તરની રહેશે. ગુજરાતના&nbsp; પ્રદેશ કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ મેવાણી અને કોગ્રેસના નેતૃત્વ વચ્ચે વાતચીતની મધ્યસ્થતા કરી રહ્યા છે.</p> <p>બિહારના કન્હૈયા કુમાર જેએનયૂમાં કથિત રીતે દેશવિરોધી નારેબાજીના કેસમાં ધરપકડ બાદ ચર્ચામાં આવ્યો હતો. કન્હૈયા કુમારે ગત લોકસભા ચૂંટણીમાં બિહારના બેગૂસરાય લોકસભા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહ વિરુદ્ધ સીપીઆઇના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી&nbsp; હતી. જોકે, તેઓ હારી ગયા હતા. બીજી તરફ જિજ્ઞેશ મેવાણી ગુજરાતના વડગામ વિધાનસભા બેઠક&nbsp; પરથી અપક્ષ ધારાસભ્ય છે.</p>

from india https://ift.tt/39FQqwG

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...