મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે

<p>હવામાન વિભાગે આ આગાહી કરી છે કે રાજ્યમાં હજુ 5 દિવસ રહેશે વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસશે. &nbsp;તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય પ્રદેશ ઉપર પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ બનતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.</p> <p><strong>અમદાવાદમાં વરસાદ</strong></p> <p>અમદાવાદ શહેરમાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગોતા, સોલા, ગોરદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સીઝનનો 58 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.</p> <p><strong>સુરતમાં વરસાદ</strong></p> <p>સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતથી વરસાદ શરુ થયો છે. જિલ્લાના કામરેજ તાલુકામાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. તો સતત વરસાદના કારણે હવે ખેડૂતોના પાકને પણ નુકસાનની આશંકા છે.</p> <p><strong>નવસારીમાં વરસાદ</strong></p> <p>નવસારી જિલ્લાના કેટલા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રે શહેરના મંકોળીયા, સ્ટેશન રોડ, ફુવારા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.</p> <p><strong>ભાવનગરમાં વરસાદ</strong></p> <p>ભાવનગર શહેરમાં થઇ સાર્વત્રિક મેઘમહેર થઇ હતી. સાંજનાં સમયે વરસાદનું આગમન થતા શહેરનાં કુંભારવાડા, વાઘાવાડી રોડ ક્રેસન્ટ સર્કલ, જશોનાથ સર્કલ ભરતનગર, કળિયાબીડ, ચિત્રા, ફુલસર, સીદસર, અવણીયા, નારી, સહિતનાં વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો તો શહેર ના કુમુદવાડી વિસ્તારમાં વરસાદી પાણી&nbsp; ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જો કે વરસાદનાં પગલે શહેરનાં&nbsp; વતાવરણમાં ઠંકક પ્રસરતા શહેરીજનોએ રાહતની લાગણી અનુભવી હતી.</p>

from gujarat https://ift.tt/3lNdnDO

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...