મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ધોધમાર વરસાદ

<p>સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે અતિભારે વરસાદ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.</p> <p><strong>અમદાવાદમાં ધોધમાર વરસાદ</strong></p> <p>આજથી ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારના જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાતભર આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને વહેલી સવારે 5 વાગ્યે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થ હતો. પહેલા ધીમીધારે વરસાદ શરૂ થયો અને સવારે પોણા છ વાગ્યાને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી.</p> <p>શહેરના એસ. જી. હાઈવે, સરખેજ, ઈસ્કોન, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, થલતેજ, સોલા, સાયંસ સિટી, રાણીપ, બોપલ, ઘુમા, શેલા, શીલજ, એસ.પી. રિંગ રોડ, સાણંદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પૂર્વના બાપુનગર, શાહપુર, સરસપુર, નિકોલ, સૈજપુર- બોઘા, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, સીટીએમ, નારોલ, ઈસનપુર, ઘોડાસર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે.</p> <p><strong>ગોંડલમાં વરસાદ</strong></p> <p>સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં રવિવારે સવારના સમયે વરસાદ વરસાવ્યા બાદ જિલ્લામાં રાત્રીના ફરી મેઘરાજાનું આગમન થયું છે. રાજકોટ શહેરમાં રાત્રીના ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લાના ગોંડલ, ઉપલેટા, કોટડા સાંગાણી, લોધિકા અને રાજકોટ તાલુકાના ગામોમાં પણ ધોધમાર દોઢથી બે ઈંચ જેટલુ પાણી વરસ્યું છે. ધોધમાર વરસાદથી કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો થશે. તો જિલ્લાના અનેક ચેકડેમો ઓવરફ્લો થયા છે. જ્યારે રાજકોટની જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણીની આવક થઈ છે. આ તરફ ગોંડલમા રાત્રીના મેઘરાજાની તોફાની બેટિંગ બાદ વહેલી સવારે પણ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગોંડલ શહેર તથા આસપાસના ગોમટા,મોવિયા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે.</p>

from gujarat https://ift.tt/3tO0SeR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...