મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યના આ તાલુકામાં આભ ફાટ્યુ, 8 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો

<p>વલસાડ જિલ્લામાં મંગળવારે ધોધમાર વરસાદ વરસતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. ઉમરગામ તાલુકામાં તો આભ ફાટ્યુ હોય તેમ માત્ર આઠ કલાકમાં 12 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સાથે જનજીવન પ્રભાવિત થયું હતુ. મુશળધાર વરસાદને લીધે જિલ્લાના 19 માર્ગો પર પાણી ભરાતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી. વહેલી સવારના ચાર વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં ઉમરગામમાં આઠ કલાકમાં જિલ્લામાં સરેરાશ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ મેગરાજા મહેરાન થતા 10.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉમરગામમાં ધોધમાર વરસાદથી તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ માર્ગો અને નીચાણવાળા વિસ્તારો તળાવમાં ફેરવાયા હતા.</p> <p>ભારે વરસાદને કારણે ઉમરગામ તાલુકાના મોહનગામ, દમણ રોડ, દહેરી-ગોવાડા રોડ, ભિલાડ, નગવાસ, અંકલાસ-વડીપાડા રોડ, સંજાણ-તલાસરી રોડ, તોળસુબા-કોળીવાડ રોડ, મરોલી-દાંડી રોડ, સરીગામ બાયપાસ રોડ, ઉમરગામ ટાઉનથી સ્ટેશન સહિતના 16 રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. જ્યારે કપરાડામાં અરણાઈ- કુંડા ધામણી રોડ, પારડીમાં રોહિણા-બરઈ રોડ અને અરનાલી પાટી-સુખાલા રોડ બંધ બંધ કરાયો હતો. આમ ભારે વરસાદને કારણે જિલ્લાના 19 માર્ગો પણ પાણી ફરી વળતા બંધ કરાયા હતા.</p> <p><strong>દ. ગુજરાતના ત્રણ જિલ્લા એલર્ટ પર</strong></p> <p>વલસાડ, નવસારી અને ડાંગ દક્ષિણ ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે અલર્ટ જાહેર કરાયુ છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં અલર્ટ અપાયુ છે.</p> <p>આ ત્રણ જિલ્લામાં NDRFની ટીમને સ્ટેંડબાય રાખવામાં આવી છે. તો વડોદરાથી NDRFની વધુ એક ટીમ દક્ષિણ ગુજરાત મોકલાશે. તો પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. જો કે, સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ મોકલવી કે કેમ તે આગામી આગાહીના આધારે નિર્ણય કરાશે. &nbsp;</p> <p><strong>વરસાદ આગાહી</strong></p> <p>રાજ્યમાં છેલ્લા બે દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના વિદર્ભમાં સાયક્લોનિકલ સર્ક્યુલેશન અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.</p> <p>આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, દમણ અને દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દીવ, ભાવનગર, અમરેલી તો ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.</p>

from gujarat https://ift.tt/2WGdwQN

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...