મુખ્ય સામગ્રી પર જાઓ

નિપાહ વાયરસનો ખતરોઃ AIIMSના નિષ્ણાંતોએ કહ્યું- ધોયા વગર નીચે પડેલા ફળ ખાવા જોખમી બની શકે

<p><strong>નવી દિલ્હી:</strong> કેરળના કોઝિકોડમાં રવિવારે નિપાહ વાયરસના ચેપથી 12 વર્ષના છોકરાનું મોત થયું હતું, આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ હાઇ એલર્ટ પર છે અને લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. દરમિયાન, દેશની સૌથી મોટી હોસ્પિટલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના નિષ્ણાતોએ લોકોને સલાહ આપી છે કે ધોયેલા ફળોને ધોયા વિના ખાવું જોખમી બની શકે છે.</p> <p><strong>ચામાચીડિયા પોતાની લાળને ફળ પર જ છોડી દે છેઃ એઈમ્સના નિષ્ણાતો</strong></p> <p>AIIMSના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. આશુતોષ બિસ્વાસે કહ્યું કે, નિપાહ વાયરસ પ્રાણીઓથી માણસોમાં ફેલાયા થયા પછી વધુ ચેપી બની જાય છે. ચામાચીડિયા તેમની લાળ ફળ પર જ છોડી દે છે. પછી આ ફળો ખાનારા પ્રાણીઓ અથવા મનુષ્યો નિપાહ વાયરસથી સંક્રમિત થાય છે. આપણી પાસે આ રોગની ચોક્કસ સારવાર નથી. તેથી આપણે સમજવું જોઈએ કે આ એક ખૂબ જ ગંભીર રોગ છે.</p> <p>ડો. આશુતોષ બિસ્વાસે વધુમાં જણાવ્યું હતું કે, &ldquo;ભૂતકાળમાં આપણે ભારતમાં જોયું છે કે ફળોના ચામાચીડિયા નિપાહને ઘરેલુ પ્રાણીઓ જેવા કે ડુક્કર, બકરી, બિલાડી, ઘોડા અને અન્ય લોકોમાં ચેપ ફેલાવી શકે છે. માટે આ વાયરસનું મનુષ્યમાં જવું ખૂબ જ ખતરનાક છે. અમે તેને સ્પિલઓવર કહીએ છીએ.&rdquo;</p> <p><strong>નીચે પડેલા ફળોને ધોયા વગર ખાવા ખૂબ જ ખતરનાક</strong></p> <p>ડોક્ટર આશુતોષ બિસ્વાસે કહ્યું, "એકવાર આ વાયરસ માનવમાં પ્રવેશી જાય છે, તે માણસથી માણસમાં પ્રસારિત કરવાનું શરૂ કરે છે અને ટ્રાન્સમિશન એટલું ઝડપી છે કે તે ઝડપથી ફેલાય છે. એટલા માટે તેને ઓળખવું ખૂબ જ જરૂરી છે." તેમણે કહ્યું," નીચે પડેલા ફળોને ધોયા વગર ખાવા ખૂબ જ ખતરનાક છે. જો આપણે ફળો ધોઈને ખાતા નથી, તો વાયરસ પ્રાણીઓથી મનુષ્ય સુધી પહોંચવાનું શરૂ થાય છે.&rdquo;</p> <p><strong>કેરળમાં શું થયું?</strong></p> <p>રાજ્યના કોઝિકોડમાં એક 12 વર્ષના છોકરાનું નિપાહ વાયરસથી મોત થયું છે. વાયરસના ફેલાવાને રોકવા માટે, રાજ્યના આરોગ્ય વિભાગે બાળકના ઘરની ત્રણ કિલોમીટરની ત્રિજ્યાને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી છે. તે જ સમયે, તેની નજીકના વિસ્તારો પણ કડક દેખરેખ હેઠળ છે. કોઝિકોડ, પડોશી કન્નૂર, મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગને ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.</p>

from india https://ift.tt/3yVQHWw

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...