મુખ્ય સામગ્રી પર જાઓ

Amreli : પુત્ર પ્રાપ્તિની કામના માટે આશ્રમમાં ગયેલી પરણીતા પર વિધિના બહાને મહંતે પરાણે માણ્યું શરીરસુખને પછી....

<p><strong>અમરેલીઃ</strong> સાવરકુંડલાના દાઘીયા ગામના કબીર આશ્રમના મહંતે પુત્ર પ્રાપ્તિના બહાને પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની પરણીતાએ બળાત્કારના આરોપ સાથે કબીર આશ્રમના ગુરુ અમરદાસ સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.&nbsp;</p> <p>પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે,અમે 18-7-2021ના રોજ મારા સાસુ સાથે આશ્રમ ગયા હતા. તેમજ આખો દિવસ આશ્રમમાં ભક્તિ અને સેવા-પૂજા કરી હતી. ત્યારે ગુરૂ અમરદાસ સાહેબને મળેલ, ત્યારે ગુરૂ અમરદાસે મને કહેલ કે રાત્રીના બારેક વાગ્યે તુ આશ્રમ કમ્પાઇન્ડની બાજુમાં આવેલા ઝાડ પાસે આવજે ત્યાં હુ વિધિ કરીને તને પરવાનો આપીશ. તેમજ પરણીતાને એકલી આવવા કહ્યું હતું. જેથી તેમના આદેશ મુજબ હું રાત્રીના આશરે સવાર બારેક વાગ્યે અમરદાસ સાહબેએ જણાવેલ જગ્યાએ પપહોંચેલ ત્યાં ખૂબ જ અંધારુ હતું. ત્યાં અમરદાસ સાહેબે મને પરવાનો આપેલ અને બાદ એક સફરજ આપેલ અને મને ખાઈ જવા કહેતા મેં તે સફરજન ખાતા હું અર્ધબેભાન અવસ્થામાં આવી ગયેલ ત્યારે આ અમરદાસ સાહેબે મારા અડધા કપડા ઉતારી મારી સાથે દુષ્કર્મ કરેલ હતું અને હું અર્ધબેભાન અવસ્થામાં હતી, પરંતુ મારી સાથે આ અમરદાસ સાહેબ દુષ્કર્મ આચરતા હોય તેઓ અહેસાસ થતો હતો, પરંતુ હું અર્ધબેભાન હોય કોઈ પ્રતિકાર કરી શકેલ નહીં અને હું આશરે રાત્રીના દોઢેક વાગ્યે સ્વસ્થ અવસ્થામાં આવતા હું ત્યાંથી અમારા ઉતારાવાળા હોલમાં જતી રહેલી હતી. બાદમાં તે પણ જતા રહેલ હતા. મારા પરિવારના સભ્યોને તેમને ખૂબ માનતા હોવાથી મેં કાંઈ કહેલ નહીં.</p> <p>ગત તા.19/07/2021 ના રોજ &nbsp;બનેલ ઘટનાને લઈને પરણીતાએ સાવરકુંડલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ગુરુ પૂર્ણિમાના પ્રસંગે પુત્ર પ્રાપ્તિ માટે ગુરુ આશ્રમમાં સાસુ સાથે આવેલ પરણીતાને વિધિના નામે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. પરણીતાને વિધિના નામે સફરજન ખવડાવ્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. પરણીતાના પતિના ફેસબુક આઇડીમાં " મારી ભૂલ છે બને તો મને માફ કરજો, મમ્મી-પપાને ન કહેતા"નો મસેજ કર્યો હતો. બાદમાં મહંત સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.&nbsp;</p> <p>પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી બે મહિના પહેલા મારા સાસુએ મને કહેલ કે આપણામાં ઘરમાં દીકરીઓ છે અને દીકરા માટે ગુરુ અમરદાસ સાહેબ ગુરુપૂર્ણિમાના દિવસે કપુરનુ પાન, ડ્રાઇફ્રુટ અને પૂજામાં મકેલ ફળનો પરવાનો બનાવીને આપે છે. &nbsp;જેનાથી સંતાનમાં પુત્ર પ્રાપ્તિ થાય છે. જેથી ગુરુ પૂર્ણિમાના મહાસંત્સંગમાં આપણે દાધીયા મુકામે ગુરુના કબીર આશ્રમે જવાનું છે. તેમ વાત કરી હતી.&nbsp;</p>

from gujarat https://ift.tt/3ujDhTr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

ચીને પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો, જાણો અમેરિકા અને રશિયાની સરખામણીમાં ચીનની તાકત કેટલી?

<p>ચીને વર્ષ 2022-23 માટે પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો છે. ચીને પોતાના રક્ષા ખર્ચમાં 7.1 ટકાથી વધારીને 229 બિલિયન ડોલર કરી દીધું છે. આ પહેલાં ચીનનું રક્ષા બજેટ 6.8 ટકા હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરીને સંદેશ આપ્યો કે, ચીનની સેના શક્તિશાળી છે. અમેરિકા પછી ચીન હવે દુનિયામાં રક્ષા બજેટ ઉપર સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બની ગયો છે.&nbsp;</p> <p><strong>અમેરિકા પહેલા નંબરેઃ</strong><br />ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન સાથે વધી રહેલા તણાવને લઈને &nbsp;વર્ષ 2022 માટે 768.2 અરબના રક્ષા બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શરુ થનાર અભિયાન માટે 7.1 અરબ ડોલરની પણ જોગવાઈ કરાઈ હતી. બજેટમાં અત્યાધુનિક ટેક્નોલોજી જેવી કે, હાઈપર સોનિક હથિયાર, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ , 5જી, ક્વાંટમ કંપ્યુટિંગ જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટેની મહત્વપુર્ણ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવ્યો હતો.&nbsp;</p> <p><strong>રશિયા કયા નંબર પર?</strong><br />અમેરિકા અને ચીન સાથે રશિયાની વાત કરીએ તો, રક્ષા...