મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યના વિદ્યાર્થી-યુવાઓ શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા એ જ અમારો નિર્ધાર: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

<p>શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, ગુજરાતના વિદ્યાર્થીઓ-યુવાઓ વિશ્વ સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે, અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે એવા મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. રાજ્યના વિદ્યાર્થી ઓ-યુવાઓ શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટે અનેકવિધ નવતર આયામો, પ્રયોગો અને સુધારાઓ કર્યા છે અને આગામી સમયમાં પણ કરશુએ માટે રાજ્ય સરકારનું મન હર હંમેશ ખુલ્લુ છે.</p> <p>આજે વિધાનસભા ખાતે ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓના દ્વિતીય &nbsp;સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી વાઘાણીએ કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે શિક્ષણ યાત્રાને વધુને વધુ વેગવંત બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યનું યુવાધન શિક્ષણ દ્વારા વધુને વધુ રોજગારી મેળવી આત્મનિર્ભર બને એ માટે અમે આયોજનો કરવાના છીએ.</p> <p>પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા છે એને વધુ સંગીનતાથી અમે આગળ વધારી રાજ્યના યુવાધનને વધુ શિક્ષિત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. એટલા માટે જ આ સુધારો લઇને અમે આવ્યા છીએ.</p> <p>શિક્ષણ મંત્રી વાઘાણીએ(Gujarat education) બીલ ઉપરની ચર્ચામાં જણાવ્યું હતું કે, અમારી સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે તમામ વર્ગોના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશીપ-શિષ્યવૃત્તિ શરૂ કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ, મુખ્યમંત્રી&nbsp; શિષ્યવૃત્તિ યોજના, નવીન વ્યવસાયિક પ્રકલ્પો માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, કોલેજના વિદ્યાર્થીઓ PHD કરી શકે તે માટે નવીન શોધ યોજના પોસ્ટ ક્રેડીટ શિષ્યવૃત્તિ, મેડીકલની બેઠકોમાં વધારો અને તેની ફીમાં ૫૦ ટકા જેટલી સહાય જેવા અનેકવિધ શિક્ષણલક્ષી આયામો અમે શરૂ કર્યા છે. શિક્ષણમાં ફી-નિયમન માટેની એફ.આર.સી.કમિટિની રચના પણ અમારી સરકારે કરી છે જેથી રાજ્યના હજારો વિદ્યાર્થી ઓ અને વાલીઓને આર્થિક રાહત મળી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.</p> <p>તેમણે કહ્યુ હતું કે, દેશમાં છેલ્લા ૩૪ વર્ષથી જે ન થઇ શક્યુ તેવી નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં &nbsp;અમલી બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગમાં હોલિસ્ટીક બદલાવ લાવવા અમે સતત પ્રયત્નશિલ છીએ. વિપક્ષના સારા સૂચનોને સ્વીકારીને ગુજરાતના હિતમાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા નવા સુધારા કરવા અમે કટિબદ્ધ છીએ તેમ તેમણે ઉમેર્યુ હતુ.&nbsp;</p> <p>શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ (Gujarat education) ગુજરાત ખાનગી યુનિવર્સિટી- દ્વિતીય સુધારા વિધેયક દ્વારા રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે અગાઉ જોડવાના વિધેયકને રદ કરી મૂળ સ્વરૂપે ગ્રાન્ટ ઈન એઇડ કોલેજોને સરકાર ઉચ્ચ શિક્ષણ સાથે જોડવા સુધારા વિધેયકને રજુ કર્યું હતું. જેને સભાગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.</p> <p>શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથેના જોડાણથી વહીવટી, સ્ટાફ, ભરતી તથા ફી અંગેના પ્રશ્નો અંગે સંસ્થાઓ, અધ્યાપક મંડળો, વિદ્યાર્થી મંડળોની રજૂઆતોને ધ્યાનમાં લઇ ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓના દ્વિતીય સુધારા વિધેયકને વિધાનસભા ખાતે&nbsp; સર્વાનુમતે પસાર કરાયું હતું.</p>

from gujarat https://ift.tt/3idc008

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...