મુખ્ય સામગ્રી પર જાઓ

પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સામે દુષ્કર્મની ફરિયાદ, યુવતીના ઘરે સ્પાય કેમેરો લગાવી....

<p>પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને સેક્રેટરી રાજુ ભટ્ટ અને તેના મિત્ર સામે નોંધાઈ છે યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ. દિલ્લીની યુવતી વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીમાં લૉનો અભ્યાસ કરે છે. યુવતીએ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં રાજુ ભટ્ટ અને તેના મિત્ર અશોક જૈન વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.</p> <p>યુવતીનો આરોપ છે કે અશોક જૈને રાજુ ભટ્ટના ગેસ્ટ હાઉસ પર બોલાવી કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. &nbsp;બાદમાં રાજુ ભટ્ટે પણ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ન્યૂડ ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. યુવતીના ઘરે સ્પાય કેમેરા લગાવી દુષ્કર્મના ન્યૂડ ફોટો વાયરલ કર્યાનો આરોપ છે. આરોપી અશોક જૈન જાણીતા વકીલ છે.</p> <p><strong>કચ્છના મુંદ્રા પોર્ટ પર ડ્રગ્સ કૌભાંડમાં પર્દાફાશ</strong></p> <p>મુંદ્રાના અદાણી બંદરેથી DRIની ટીમે 10 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ટેલ્કમ પાઉડરના જથ્થા સાથે હેરોઈન ઈમ્પોર્ટ કરનારા વિજયવાડાની કંપનીના સંચાલક દંપતિની ચેન્નઈથી DRIએ ધરપકડ ધરપકડ કરી લીધી છે. વિજયવાડાની આશી ટ્રેડિંગ કંપનીના સંચાલક મચ્છવારમ સુધાકર અને તેમના પત્ની ગોવિંદારાજુ દુર્ગાપૂર્ણ વૈશાલીને DRIએ ભુજ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાંડની માગણી કરી હતી. ભુજ કોર્ટે આરોપી દંપતિના 10 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે.</p> <p>DRIએ ઝડપી પાડેલો હેરોઈન ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે. જેના પડઘા રાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા છે. મુંદ્રાથી હેરોઈન ક્યાં લઈ જવાનું હતું, કોણે મંગાવ્યું હતું, નાણાંકીય મદદ કોણે કરી હતી તે સહિતના મુદ્દે મુંદ્રા, ગાંધીધામ, માંડવી, અમદાવાદ, દિલ્લી અને ચેન્નઈ સુધી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.</p> <p>મુંદ્રાના અદાણી પોર્ટ ઉપર વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીના સેમી પ્રોસેસ્ડ સ્ટોન ટેલ્કમ પાઉડરના કન્ટેનર આવ્યાં હતાં તેમાં હેરોઈન ડ્રગ્સ હોવાની માહિતી મળતા&nbsp; એક સપ્તાહથી અગાઉ ડીઆરઆઈ, ગાંધીધામની ટીમે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન એક કન્ટેનરમાંથી 1999.579 કિલોગ્રામ અને બીજા કન્ટેનરમાંથી 988.64 કિલોમીગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.</p> <p>મુંદ્રા પોર્ટ ઉપર આયાત કરાયેલા કન્ટેનરમાંથી મળેલા કુલ 2988.219 કિલોગ્રામ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 10000 કરોડ જેટલી થવા જાય છે. અફઘાનિસ્તાનથી પ્યોર હેરોઈનનો જથ્થો ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી ટેલ્કમ પાઉડર સાથે મુંદ્રા પોર્ટ ઉપર આવેલા ઈન્ટર સીડની નામના વહાણમાંથી ઉતરેલા કન્ટેનરમાં મોકલાયું હતું.</p> <p>ડીઆરઆઈના સ્પેશ્યિલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, ચેન્નઈની પેઢીએ અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવ્યુ હતું. જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. ત્યારે માહિતીના આધારે મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈની ટીમે આ હેરોઇન ડ્રગ્સનો&nbsp; જથ્થો ઝડપી પાડયો છે. હજુ પણ DRIની તપાસ ચાલુ છે.</p>

from gujarat https://ift.tt/3lIpGB7

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...