મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં મોનસૂન સિસ્ટમ ફરી સક્રિય, જાણો આગામી કેટલા દિવસ રાજ્યમાં પડશે વરસાદ

<p>રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કેટલાક રાજ્યોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યના&nbsp; 31 જિલ્લાના&nbsp; 183 જેટલા&nbsp; તાલુકા વરસાદ નોંધાયો છે. અરવલ્લીમાં મેઘ મહેર થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. વરસાદના કારણે પાણીની આવક થતાં મેઘરજના વેડી ડેમમાં 500 ક્યૂસેક પાણી છોડાતા ખેડૂતોને રાહત મળી છે. &nbsp;હવામાન વિભાગે હજું 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.</p> <p>અરવલ્લી પર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.અરવલ્લીમાં ભારે વરસાદના કારણે ધોધ સક્રિય થયા છે. વહેતા ધોધના કારણે અદભૂત કુદરતી નજારો સર્જાયો છે. તો બીજી તરફ માજુમ નદીમાં પણ નવા નીર આવતા નદી બે કાંઠે વહી રહી છે. તો બીજી તરફ ઝેરિયા વાડા, મહુડી પાસેની નદીમાં પણ નવા નીરની આવક થઇ છે. સતત ભારે વરસાદના કારણે વાત્રક ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે.</p> <p><strong>સૌરાષ્ટ્રમાં મેઘ મહેર<br /></strong>ઉપરવાસમાં વરસાદના કારણે આજી ડેમ 3માં નવા નીરની આવક થઇ છે. આજી ડેમ 3 ના નીચાણવાળા વિસ્તારોને &nbsp;એલર્ટ કરાયા છે. ટંકારા તાલુકાના ખાખરા, જોડિયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ અને ટીમ્બડી ગામના લોકોને નદીના પટમાં ન જવા સૂચના &nbsp;અપાઈ છે.</p> <p>નવસારીમાં શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બપોર બાદ અહીં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં આવેલા જમાલપોર, ઈટાળવા ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે શરૂ થતાં અને વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે પવન સાથે વરસાદ વરસતાં વિઝીબિલિટી ઓછી હોવાના કારણે વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.</p> <p>યાત્રાધામ અંબાજી પર પણ મેઘરાજા મેહરબાન થયા છે. આજે ફરી અંબાજી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી અંબાજીના મુખ્ય બજારોના રોડ પર પણ પાણી ભરાઇ ગયા હતા.બનાસકાંઠાના દાંતામા વરસાદી માહોલ યથાવત રહ્યો. અહીં દાંતામાં અડધા કલાકમા 1 ઇંચ વરસાદ પડતા અહીં &nbsp;સિઝનનો 29 ઇંચ વરસાદ નોંધાયો છે.<br /><br /></p>

from gujarat https://ift.tt/3npFon3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...