મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતના નવા મુખ્યમંત્રીપદે આ પાટીદાર નેતાની પ્રબળ શક્યતા, બે નાયબ મુખ્યમંત્રી હશે, કોણ કોણ બનશે?

<p style="font-weight: 400;">ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીના સ્થાને કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપના નેતાઓ વચ્ચે ગાંધીનગરમાં ઉપરાછાપરી બેઠકો ચાલી રહી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર તરીકે ઉભર્યા છે.</p> <p style="font-weight: 400;">એબીપી અસ્મિતાના રીપોર્ટર્સના અહેવાલ પ્રમાણે, ભાજપ હાઈકમાન્ડે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીપદ આપીને બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. બે નાયબ મુખ્યમંત્રી પૈકી એક નાયબ મુખ્યમંત્રી આદિવાસી સમાજમાંથી અને એક નાયબ મુખ્યમંત્રી અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમાજમાંથી હશે. &nbsp;આદિવાસી સમાજમાંથી ગણપત વસાવા નાયબ મુખ્યમંત્રી બનવા માટેના પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીપદ કોને આપવું તે અંગે ચર્ચા ચાલી રહી હોવાનો દાવો કરાયો છે. ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીપદ સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્યને અપાશે એવું કહેવાય છે.</p> <p style="font-weight: 400;">આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ&nbsp;સી.&nbsp;આર.&nbsp;પાટીલના&nbsp;નિવાસસ્થાને&nbsp;બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ભાજપના&nbsp;રાષ્ટ્રીય&nbsp;સંગઠન&nbsp;મંત્રી&nbsp;બી.&nbsp;એલ.&nbsp;સંતોષ,&nbsp;&nbsp;ગુજરાત&nbsp;ભાજપ&nbsp;ના&nbsp;પ્રદેશ&nbsp;મહામંત્રી&nbsp;રત્નાકર,&nbsp;ગુજરાત&nbsp;ભાજપના&nbsp;પ્રભારી&nbsp;ભુપેન્દ્ર&nbsp;યાદવ,&nbsp;મહામંત્રી&nbsp;વિનોદ&nbsp;ચાવડા,&nbsp;પ્રદીપસિંહ&nbsp;વાઘેલા&nbsp;ઉપસ્થિત&nbsp;રહ્યા હતા.</p> <p style="font-weight: 400;">વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ નવા મુખ્યમંત્રી અંગે આજે રવિવારે નિર્ણય લેવાવાનો છે. &nbsp;આ માટે ધારાસભ્ય દળની બપોરે 3 વાગ્યે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં હાજર રહેવા&nbsp;ધારાસભ્યોને&nbsp;2&nbsp;વાગ્યે કમલમમાં આવી જવાની સૂચના આપી દેવાઈ છે.</p> <p style="font-weight: 400;">ભાજપ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા છે. સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરૂણ ચુગ ગાંધીનગર પહોંચી ગયા છે.&nbsp; કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત &nbsp;તેવી શક્યતા છે. બપોરે&nbsp;3&nbsp;વાગ્યે કમલમ પર ધારાસભ્ય દળની બેઠકમા નવા નેતાની પસંદગી પર ધારાસભ્યો મંજૂરીની મહોર મારે તે પછી આવતી કાલે સોમવારે રાજ્યપાલ પાસેથી સમય માંગીને ભાજપ દ્વારા સરકાર રચવાનો દાવો કરવામાં આવી શકે છે.</p>

from gujarat https://ift.tt/3C1XW0S

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...