મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં આગામી ચાર દિવસ મનમૂકીને વરસશે મેઘરાજા, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર

<p>હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં આજે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના પંથકમાં અતિભારે વરસાદનું હવામાન વિભાગને અનુમાન છે.</p> <p>આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં છૂટો છવાયો અને મધ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદની ઘટ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે અન્ય વિસ્તારમાં 22 ટકા વરસાદની ઘટ છે.</p> <p><strong>રાજ્યમાં 20 એનડીઆરેફની ટીમ તૈનાત</strong></p> <p>ગુજરાતમાં વરસાદ ને પગલે એનડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માં 15 ટીમો કામગીરી કરી રહી છે. ગાંધીનગર અને વડોદરામાં 1-1 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એનડીઆરએફ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સફળતાપૂર્વક સ્થળાંતર ની કામગીરી કરવામાં આવી રહી છે.</p> <p>ગુજરાતની 15 ટીમો ઉપરાંત એનડીઆરએફની વધુ પાંચ ટીમો પંજાબ અને અન્ય વિસ્તારોમાંથી ગુજરાત આવી ચૂકી છે. જે પાંચ ટીમો ને રાજકોટ, પોરબંદર અને અન્ય વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે. હવામાન વિભાગની&nbsp; ભારે વરસાદની આગાહી ને પગલે એનડીઆરએફ તમામ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર હોવાની વિગતો એનડીઆરએફ ના ડેપ્યુટી કમાન્ડન્ટ દ્વારા આપવામાં આવી હતી.</p> <p><strong>કચ્છમાં વરસાદ</strong></p> <p>હવામાન વિભાગની આગાહી વચ્ચે પૂર્વ કચ્છના કેટલાક તાલુકામાં વરસ્યો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. પૂર્વના ગાંધીધામ, કંડલા, આદિપુર અને અંજારમાં વીજળીના કડાકા અને તોફાન સાથે વરસાદ વરસ્યો છે. જેના કારણે ગાંધીધામ- કંડલા કોમ્પલેક્ષ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.</p> <p>સતત બે કલાક મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં પૂર્વ કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ, ભચાઉમાં બે કલાકમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ગાંધીધામ, આદિપુર અને કંડલામાં પણ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા હતાં. તો આ તરફ પશ્ચિમ કચ્છના ભુજ, માધાપર, ભુજોડી, માનકુવા, માંડવી સહિતના વિસ્તારમાં પણ મધ્યમ વરસાદ વરસ્યો હતો.</p>

from gujarat https://ift.tt/3zbv1pl

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...