મુખ્ય સામગ્રી પર જાઓ

ભાજપે કાઢી મૂકેલા ક્યા મુખ્યમંત્રીએ કહ્યું, માત્ર મોદી વેવથી ચૂંટણી ના જીતી શકાય....

<p><strong>બેંગલુરુઃ</strong>&nbsp;દેશમાં આજે પણ ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર જ ચૂંટણી લડે છે. પરંતુ આ દરમિયાન કર્ણાટક ભાજપના પૂર્વ મુખ્યમંત્રી બી.સ. યેદીપુરપ્પાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે &nbsp;માત્ર મોદી વેવથી ચૂંટણી ના જીતી શકાય.</p> <p><strong>શું કહ્યું યેદિયુરપ્પાએ</strong></p> <p>યેદિયુરપ્પાએ કહ્યું, કર્ણાટકમાં ભાજપ માત્ર મોદી વેવ પર સવારી કરીને ચૂંટણી નહીં લડી શકે. ભાજપ કોર કમિટીની બેઠકને સંબોધતાં તેમણે કહ્યું, આપણે એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે માત્ર વડાપ્રધાન મોદીના નામે આપણે ચૂંટણી જીતી શકીશું. મોદીના નામે લોકસભા ચૂંટણી લડવી સહેલી છે પરંતુ સ્થાનિક ચૂંટણી વખતે વિકાસના ફળ જનતા સુધી પહોંચે તો જ જીતમાં મદદ મળી શકે છે.</p> <p><strong>પૂર્વ મુખ્યમંત્રીએ બીજી શું કરી ટકોર</strong></p> <p>કર્ણાટકમાં હાલ ભાજપ બસવરાજ બોમ્મઈના નેતૃત્વમાં જિલ્લા, તાલુકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે જ યેદીયુરપ્પાએ આ ટિપ્પણી કરી છે. બેઠકમાં યેદિપુરપ્પાએ પક્ષાના કાર્યકર્તાઓને આગામી ચૂંટણીમાં વિરોધપક્ષને હળવાશથી ન લેવાની ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, વિરોધ પક્ષ પણ પોતાની આગાવી તાકાત ધરાવે છે.</p> <p>યેદિયુરપ્પાએ મોદી વેવ મુદ્દે આપેલા નિવેદનની જાણ ભાજપના મોવડી મંડળને પણ કરવામાં આવી છે. &nbsp;&nbsp;</p> <p><strong>દેશમાં કોરોના કેસમાં ફરી થયો ઘટાડો, જાણો આજે કેટલા કેસ નોંધાયા અને કેટલા લોકોના થયા મોત</strong></p> <p>દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઘટાડો થયો છે. આ પહેલા સતત પાંચ દિવસ કોરોનાના 30 હજારથી વધારે કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,115 નવા કેસ અને 252 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 34,469 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં અત્યાર સુધીમાં 81,85,13,827લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 96,46,778 લોકોને રસી અપાઈ હતી.&nbsp;આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 55,50,35,717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14,13,951 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.</p>

from india https://ift.tt/2XJ3NK0

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...