મુખ્ય સામગ્રી પર જાઓ

Charanjit Singh Channi Swearing-in :પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્નીએ લીધા શપથ

<p>ચંડીગઢઃ પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિહં ચન્નીએ શપથ લીધા છે. ચરણજીત સાથે સુખજિંદર સિંહ રંધાવા અને ઓમ પ્રકાશ સોનીએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાંથી એક ચહેરો હિંદુ અને બીજો ચહેરો શિખ સમુદાયમાંથી આવે છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના 16મા મુખ્યમંત્રી છે. આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસે પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો બદલ્યો હતો.</p> <p>[tw]https://twitter.com/ANI/status/1439829493426708481[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1439830680377049095[/tw]</p> <p>કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબ કોગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ ચરણજીત સિંહને અભિનંદન આપ્યા હતા. ચરણજીતસિંહ કેપ્ટન અમરિંદર સિંહને મળવા તેમના ઘરે જઇ શકે છે. નારાજ અમરિંદર સિંહ રાજભવનમાં ચરણજીતના શપથ સમારોહમાં હાજર રહ્યા નહોતા. વડાપ્રધાન મોદીએ પણ પંજાબના નવા મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે, ચરણજીત સિંહ ચન્નીજીને પંજાબના મુખ્યમંત્રીરૂપમાં શપથ લેવા પર અભિનંદન. પંજાબના લોકોની સુખાકારી માટે પંજાબ સરકાર સાથે કામ કરવાનું ચાલી રાખીશું.</p> <p>[tw]https://twitter.com/ANI/status/1439840741547601921[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1439831135769411584[/tw]</p> <p>[tw]https://twitter.com/ANI/status/1439833342518591492[/tw]</p> <p>કોગ્રેસે પંજાબમાં પ્રથમ દલિત બનાવવા પર બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, આ ફક્ત કોગ્રેસનો ચૂંટણી દાવ છે. કોગ્રેસને દલિતો પર વિશ્વાસ નથી. દલિત વર્ગે કોગ્રેસથી સાવધાન રહેવું જોઇએ. નોંધનીય છે કે &nbsp;કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના આ માસ્ટરસ્ટ્રોકથી પંજાબ વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે. કોગ્રેસે આ નિર્ણયથી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને સાધવાનો પ્રયાસ કર્યો છે.</p> <p>કોગ્રેસ નેતા સુનીલ જાખડના ભત્રીજા અજય જાખડે પંજાબ કિસાન ખેતિહર મજૂર આયોગના અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અજય જાખડને અનેક વાર પંજાબ સરકારની ટીકા કરતા સાંભળવવામાં આવ્યા છે.</p> <p>શપથ સમારોહમાં સામેલ નહી થનારા કેપ્ટન અમરિંદર સિંહને મનાવવા માટે રાહુલ ગાંધી તેમની મુલાકાત કરશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો પરંતુ એવું કાંઇ થયું નહીં. રાહુલ ગાંધી ચંડીગઢથી સીધા સીમલા જવા રવાના થયા હતા.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3nPzbB2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...