મુખ્ય સામગ્રી પર જાઓ

CMના નામ પર રમાયો 600 કરોડનો સટ્ટો, છેલ્લી ઘડીએ બીજુ જ નામ જાહેર થતાં સટ્ટોડિયા ધોવાયા ને બુકીઓ માલામાલ

<p>ગુજરાતમાં મુખ્યમંત્રીના નામને લઈને 600 કરોડ રૂપિયાનો સટ્ટો રમાયો હતો. મુખ્યમંત્રી તરીકે ભૂપેંદ્ર પટેલના નામની જાહેરાત થતા જ સટ્ટામાં બુકીઓ માલમાલ થઈ ગયા હતાં. મનસુખ માંડવિયાથી માંડીને નીતિન પટેલ સહિતના નામોની ગણતરી ઉંધી વળતા સટ્ટોડિયાઓએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતાં.</p> <p>&nbsp;મુખ્યમંત્રીના નામ પર અત્યાર સુધીનો સૌથી મોટો સટ્ટો રમાયો છે. શનિવારે બપોર બાદ ઓચિંતા જ ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ઉલટફેર આવ્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ ઓચિંતાજ રાજભવન પહોંચીને રાજીનામુ ધરી દીધું હતું. ત્યારે ગુજરાતની રાજકીય સ્થિતિનો લાભ બુકીઓએ લીધો હતો. શનિવારે સાંજે કૌન બનેલા મુખ્યમંત્રી પર સટ્ટો શરૂ કર્યો હતો. છેલ્લા 22 કલાકમાં ગુજરાતમાં સટ્ટોડિયાઓ 600 કરોડનો સટ્ટો રમ્યા હતાં.</p> <p>કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેંદ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, નીતિન પટેલ, પ્રફુલ્લ પટેલના નામો ખૂલ્યા હતાં. જેમાં સટ્ટોડિયાની સૌ પ્રથમ પસંદગી મનસુખ માંડવિયા હતી અને માંડવિયાનો ભાવ 30 પૈસા ખૂલ્યો હતો. તો રૂપાલા માટે 20 પૈસા અને નીતિન પટેલ માટે 18 પૈસા ભાવ હતો.</p> <p>બપોરે બે વાગ્યે બુકિઓએ ભાવ લેવાનું બંધ કરતા હતા ત્યારે માંડવિયાનો ભાવ 35 પૈસા તો નીતિન પટેલનો ભાવ 25 પૈસા સુધી પહોંચી હયો હતો. જો કે છેલ્લી ઘડીએ ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવતા તમામ સટ્ટોડીયાઓએ રૂપિયા 600 કરોડની માતબર રકમ ગુમાવી હતી.</p> <p>સટ્ટોડીયાાઓના મતે ગુજરાતના મુખ્યમંત્રી પર સૌ પ્રથમવાર સટ્ટો રમાયો હતો. જો કે છેલ્લી ઘડીએ સરપ્રાઇઝ આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિએ સટ્ટોડિયાઓને રડાવ્યા હતા. તો બુકીઓ કમાઇ ગયા હતા.</p> <p><strong>ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી</strong></p> <p>ગુજરાતમાં ભાજપે&nbsp; દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલતી હતી. લગભગ 24 કલાકના સસ્પેન્સ પછી ભાજપે અંતે રૂપાણીના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે.</p>

from gujarat https://ift.tt/3lh8oei

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...