મુખ્ય સામગ્રી પર જાઓ

CM દિલ્હીના પ્રવાસે, ખાસ પેકેજની જાહેરાત, વિરોધીઓ પર નીતિન પટેલ ગરજ્યા, જાણો ગુજરાતના મહત્ત્વના સમાચાર

<p>મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યા પછી પ્રથમ વખત આજે સવારે દિલ્લી જવા રવાના થયા. મુખ્યમંત્રી દિલ્લીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની શુભેચ્છા મુલાકાત લેશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી PM મોદીને મળી ગુજરાતની સ્થિતિ અને કામગીરીથી વાકેફ કરશે. જ્યારે રાત્રીના દિલ્લીથી મુખ્યમંત્રી પરત ફરશે.</p> <p><strong>ખાસ પેકેજની જાહેરાત</strong></p> <p>વરસાદથી થયેલા નુકસાનને લઈને આજે ખાસ પેકેજની જાહેરાત થઈ શકે છે. પાક ધોવાણ માટે સર્વેની કામગીરી ચાલુ છે. કામગીરી પૂર્ણ થયા પછી ચૂકવણી થશે તેવો દાવો રાઘવજી પટેલે કર્યો છે. પશુઓના મૃત્યુના કિસ્સામાં 30ના બદલે 50 હજાર સહાય મળે તેવી CM સાથે ચર્ચા કરવામાં આવી હોવાની વાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. રાઘવજી પટેલ મંત્રી બન્યા બાદ તેમના મત વિસ્તારમાં આવતા અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે. કૃષિમંત્રીએ ખાતરી આપી કે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે અને સરકાર તરફથી સહાય મળે તેની કાર્યવાહી ત્વરીત કરવામાં આવશે.</p> <p><strong>વિરોધીઓ પર નીતિન પટેલના પ્રહાર</strong></p> <p>મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરોધીઓ પર ખુબ ગરજ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, કેટલાક લોકો નો-રિપીટ થીયરીથી ખુશ થયા છે. પણ મેં તો બધુ ભગવાનને સોંપી દીધુ છે. નીતિનભાઈએ કહ્યું કે, જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા પણ હોય છે. એટલું જ નહીં નીતિનભાઈએ તો ત્યાં સુધી કહ્યું કે સમય સમયનું કરે છે કામ. ભૂતકાળમાં પણ મેં આ બધું જોયું છે.</p> <p><strong>મહેસૂલ વિભાગમાં બાબુશાહીની ખેર નહીં</strong></p> <p>નવી સરકાર નવી ઉર્જાના નારાને બુલંદ બનાવવા બેદરકાર અધિકારીઓની હવે ખેર નહીં. મહેસૂલ અને કાયદા વિભાગના મંત્રી તરીકેનો ચાર્જ સંભાળતા જ રાજેંદ્ર ત્રિવેદીએ બાબૂ રાજના ખાત્માના સંકેત આપ્યા છે. એક અથવા બીજું બહાનું આગળ ધરી ખેડૂતો અને જમીન માલિકોના કેસનો નિકાલ ન કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની સૂચના આપવાની સાથે સાથે ખુદ જ કલેક્ટર ઓફિસ જઈ મહેસૂલિ કેસના નિકાલ થાય તે માટે વધુ સક્રિયતા અને સતર્કતા દાખવવાનું ત્રિવેદીએ નિવેદન આપ્યું.</p> <p>એટલું જ નહીં જમીનના સર્વેમાં થયેલી ક્ષતિઓનો વ્યવહારૂ ઉકેલ કરવાની પણ ત્રિવેદીએ વાત કરી છે. કોર્ટમાં કેસ ચાલવામાં પણ ત્વરિતતા આવે તે અર્થે પણ સરકારી વકિલોને સૂચનાઓ અપાઈ છે. સાથે જ સાક્ષિઓને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે આયોજન કરવા અને સાક્ષીઓને બિનજરૂરી અદાલતોમાં ન બોલાવવા પણ સૂચના અપાઈ છે. જરૂર વગર સાક્ષીઓને બોલાવી ધક્કા ખવડાવનાર સરકારી વકીલોને ત્રિવેદીએ ચેતવણી આપી છે.</p>

from gujarat https://ift.tt/3Aq4nKO

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...