મુખ્ય સામગ્રી પર જાઓ

IPL છોડીને ભારત પરત ફર્યો આ સ્ટાર બોલર, પોતાની જ ટીમ પર સાધ્યું હતું નિશાન

<p>ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) - 2021 ના ​​બીજા ભાગમાં સારું પ્રદર્શન કરતા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને આંચકો લાગ્યો છે. ટીમના યુવા સ્પિનર ​​કુલદીપ યાદવ યુએઈથી ભારત પરત ફર્યા છે. ઘૂંટણની ઈજાના કારણે તેને આઈપીએલની મધ્યમાં જ ટીમ છોડવી પડી હતી. કુલદીપ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો.</p> <p>તમને જણાવી દઈએ કે તાજેતરમાં કુલદીપ યાદવે KKR ના મેનેજમેન્ટ પર નિશાન સાધ્યું હતું. તેને કેકેઆર તરફથી વધારે રમવાની તક મળી રહી નથી. ટીમે સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી પર વધુ વિશ્વાસ મૂક્યો છે.</p> <p>KKR ટીમ તરફથી અવગણવામાં આવ્યો ત્યારે કુલદીપ યાદવનું દર્દ છલકાઈ ગયું હતું. તેણે કહ્યું હતું કે ટીમમાં વાતચીતનો અભાવ છે અને સાથે જ કહ્યું કે ટીમમાં ન સમાવવાનું કારણ તેને ક્યારેય કહેવામાં આવ્યું નથી.</p> <p>બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું, &lsquo;હા, અમને માહિતી મળી છે કે કુલદીપને યુએઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. તે આઈપીએલ-2021 માં ભાગ લઈ શકશે નહીં અને તેને ભારત પરત મોકલવામાં આવ્યો હતો.&rsquo;</p> <p>જાણવા મળ્યું છે કે કુલદીપે તાજેતરમાં મુંબઈમાં સર્જરી કરાવી હતી અને તેને પુનરાગમન કરવામાં ચારથી છ મહિના લાગી શકે છે. 2019 આઈપીએલથી કુલદીપ માટે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. તેનું ફોર્મ ઘટ્યું અને ભારતીય ટીમ મેનેજમેન્ટે પણ તેની ક્ષમતાઓમાં વિશ્વાસ ગુમાવ્યો છે. કુલદીપ ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તેને ટી 20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન પણ મળ્યું નથી.</p> <p><strong>કુલદીપ યાદવ </strong><strong>IPL </strong><strong>કારકિર્દી</strong></p> <p>કુલદીપે 2016માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી 45 મેચમાં 40 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ 4-20 છે. કુલદીપ માટે 2018 આઈપીએલની શ્રેષ્ઠ સિઝન રહી છે. તેણે તે સિઝનમાં 17 વિકેટ લીધી હતી.</p>

from gujarat https://ift.tt/3CSKZqM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

<p><strong>Covid-19 Vaccine:</strong> કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.</p> <p><strong>ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-</strong><br />આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.</p> <p>કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...