મુખ્ય સામગ્રી પર જાઓ

IPL છોડીને ભારત પરત ફર્યો આ સ્ટાર બોલર, પોતાની જ ટીમ પર સાધ્યું હતું નિશાન

<p>ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) - 2021 ના ​​બીજા ભાગમાં સારું પ્રદર્શન કરતા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને આંચકો લાગ્યો છે. ટીમના યુવા સ્પિનર ​​કુલદીપ યાદવ યુએઈથી ભારત પરત ફર્યા છે. ઘૂંટણની ઈજાના કારણે તેને આઈપીએલની મધ્યમાં જ ટીમ છોડવી પડી હતી. કુલદીપ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો.</p> <p>તમને જણાવી દઈએ કે તાજેતરમાં કુલદીપ યાદવે KKR ના મેનેજમેન્ટ પર નિશાન સાધ્યું હતું. તેને કેકેઆર તરફથી વધારે રમવાની તક મળી રહી નથી. ટીમે સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી પર વધુ વિશ્વાસ મૂક્યો છે.</p> <p>KKR ટીમ તરફથી અવગણવામાં આવ્યો ત્યારે કુલદીપ યાદવનું દર્દ છલકાઈ ગયું હતું. તેણે કહ્યું હતું કે ટીમમાં વાતચીતનો અભાવ છે અને સાથે જ કહ્યું કે ટીમમાં ન સમાવવાનું કારણ તેને ક્યારેય કહેવામાં આવ્યું નથી.</p> <p>બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું, &lsquo;હા, અમને માહિતી મળી છે કે કુલદીપને યુએઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. તે આઈપીએલ-2021 માં ભાગ લઈ શકશે નહીં અને તેને ભારત પરત મોકલવામાં આવ્યો હતો.&rsquo;</p> <p>જાણવા મળ્યું છે કે કુલદીપે તાજેતરમાં મુંબઈમાં સર્જરી કરાવી હતી અને તેને પુનરાગમન કરવામાં ચારથી છ મહિના લાગી શકે છે. 2019 આઈપીએલથી કુલદીપ માટે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. તેનું ફોર્મ ઘટ્યું અને ભારતીય ટીમ મેનેજમેન્ટે પણ તેની ક્ષમતાઓમાં વિશ્વાસ ગુમાવ્યો છે. કુલદીપ ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તેને ટી 20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન પણ મળ્યું નથી.</p> <p><strong>કુલદીપ યાદવ </strong><strong>IPL </strong><strong>કારકિર્દી</strong></p> <p>કુલદીપે 2016માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી 45 મેચમાં 40 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ 4-20 છે. કુલદીપ માટે 2018 આઈપીએલની શ્રેષ્ઠ સિઝન રહી છે. તેણે તે સિઝનમાં 17 વિકેટ લીધી હતી.</p>

from gujarat https://ift.tt/3CSKZqM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...