મુખ્ય સામગ્રી પર જાઓ

PM મોદી આજથી અમેરિકાના પ્રવાસે, છ મહિનામાં પ્રથમ વખત PMનો વિદેશ પ્રવાસ

<p>પ્રધાનમંત્રી મોદી આજથી ચાર દિવસ માટે અમેરિકાના પ્રવાસ માટે રવાના થશે. છેલ્લા છ મહિનામાં પ્રધાનમંત્રીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. જોકે કોરોનાકાળમાં પ્રધાનમંત્રી મોદીનો બીજો પ્રવાસ છે. છેલ્લે ગત માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી બાંગ્લાદેશના પ્રવાસે ગયા હતાં. પ્રધાનમંત્રી સાથે NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી સહિતનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધીમંડળ પણ અમેરિકા પ્રવાસે જશે.</p> <p>કાર્યક્રમ અંતર્ગત અમેરિકી રાષ્ટ્રપતિ, ક્વાડ સંમેલન અને સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભાગ લેશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસે અંગે જાણકારી આપી હતી. વિદેશ સચિવે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અમેરિકી રાષ્ટ્રપતિએ આયોજીત કરેલી કોવિડ-19 વૈશ્વિક શિખર સંમેલનમાં ભાગ લેશે. તો 24 સપ્ટેમ્બરના દ્વિપક્ષીય બેઠક મળશે. જેમાં પ્રધાનમંત્રી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન ભારત- અમેરિકા વચ્ચેના સબંધોની સમીક્ષા કરશે.</p> <p>વધુમાં કહ્યું કે બંને નેતાઓ વચ્ચે વ્યાપાર અને રોકાણ સંબંધો, રક્ષા અને અને સુરક્ષા સહયોગને મજબૂત કરવા પર વિસ્તૃત ચર્ચા થશે. તો આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા મોટા ફેરફાર બાદ વર્તમાન ક્ષેત્રીય સુરક્ષા સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત કટ્ટરપંથ, ઉગ્રવાદ, સરહદ પાર આતંકવાદ અને વૈશ્વિક આતંકી નેટવર્કને ખતમ કરવાની આવશ્યકતા પર પણ ચર્ચા થશે.</p> <p>23 સપ્ટેમ્બરના રોજ પ્રથમ પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત કરશે. 24 સપ્ટેમ્બરના મળનારી ક્વાડ સમીટમાં પ્રધાનમંત્રી મોદી, જાપાનના પ્રધાનમંત્રી યોશીહિંદે સુગા, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસ પણ ભાગ લેશે. ચાર દેશો વચ્ચે મળનારી આ ક્વાડ સમીટ પર ચીનની નજર રહેશે.</p> <p>વોશિંગ્ટનમાં બેઠક કર્યા બાદ 25 સપ્ટેમ્બરના પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભાગ લેવા વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જશે. જ્યાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદને સંબોધન કરશે.</p> <p>ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઈડને સત્તા સંભાળ્યા બાદ આ પ્રથમ વખત બંને નેતાઓ વચ્ચે મુલાકાત થશે. અત્યાર સુધી બંને નેતાઓ વચ્ચે ઘણીવાર વર્ચ્યુઅલ વાતચીત કરી ચૂક્યા છે.</p>

from india https://ift.tt/3EFpn2Q

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...