મુખ્ય સામગ્રી પર જાઓ

Punjab : પ્રદેશ અધ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ સિંદ્ધની પહેલી પ્રતિક્રિયા, જાણો શું આપ્યું નિવેદન ?

<p><strong>નવી દિલ્લીઃ</strong> પ્રદેશ અઘ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ નવજોતસિંહ સિંદ્ધુનું પ્રથમ નિવેદન સામે આવ્યું આવ્યું છે. નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે, હું ન્યાય માટે લડતો રહીશ અને પંજાબના હિત માટે અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ગમે તેવું બલિદાન આપવા તૈયાર છું.&nbsp;</p> <p>પ્રદેશ અધ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ ટ્વિટ પર એક વીડિયો પોસ્ટ કરીને નવજોત સિંદ્ધિએ કહ્યું કે, હું હાઇકમાન્ડને ગેરમાર્ગે ક્યારેય નહીં દોરુ. હું મારા છેલ્લા શ્વાસ સુધી સત્યની લડાઇ લડતો રહીશ. સિદ્ધુએ વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું.&nbsp;</p> <p>નવજોતસિંહ સિંદ્ધુ પંજાબના મુખ્યમંત્રી બનવા ઇચ્છતા હતા પરંતુ અમરિંદરના વિરોધી સૂરના કારણે આખરે પસંદગીનો કળશ ચન્ની પર ચરણજીત ચન્ની પર ઢોળાયો. નવજોત સિંહ સિંદ્ધુને હતું કે, મુખ્યમંત્રી પદ પર ભલે ચન્ની હોય પરંતુ દોરી સંચાર તેમના હાથમાં જ &nbsp;રહેશે પરંતુ સત્તા પર આવ્યાં બાદ ચરણજીત ચન્ની તેમના રીતે સ્વતંત્ર રીતે શાસન કરતા નવજોતસિંહ સુદ્ધુ વચ્ચે મતભેદ સર્જાયા અને આખરે તેમને રાજીનામુ ધરી દીધું.<br /><br /></p> <p>ગઈ કાલે પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી નવજોતસિંઘ સિદ્ધુએ રાજીનામું આપી દિધું હતું. તેમણે કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું ધરી દીધું છે. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે, હું કોંગ્રેસ માટે કરતો રહીશ.</p> <p>આ અંગે મળતી માહિતી પ્રમાણે, પંજાબમાં બનેલી નવી સરકાર પછી નવા મંત્રીમંડળની રચના અને તેમને ખાતાઓની ફાળવણી અંગે વિશ્વાસમાં લેવામાં ન આવતાં તેઓ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણે તેમને રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. તેમના રાજીનામાને કારણે ફરી એકવાર પંજાબનું રાજકારણ ગરમાયું છે.&nbsp;<br /><br />પંજાબમાં રાજકીય ઘમાસાણ વચ્ચે CM ચન્નીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું હતું કે પંજાબના હિત માટેના તમામ કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબમાં મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું હતું કે પંજાબમાં વીજળી બાબતે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, જેઓ તેમના જૂના બિલ ભરી શક્યા નથી તેમના કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. 2 KW સુધીના વીજ જોડાણ ધરાવતા લોકોના જોડાણો પુન જોડવામાં આવશે. તેમજ આ સાથે તમામ જૂના બાકી બિલ સરકાર ભરશે.</p>

from india https://ift.tt/3kM25jH

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...