મુખ્ય સામગ્રી પર જાઓ

Unemployment In India: ઓગસ્ટ મહિનામાં વધી બેરોજગારી, 15 લાખ લોકોએ રોજગારી ગુમાવી - CMIE

<p><strong>Unemployment Rises In India:</strong> ઓગસ્ટ મહિનામાં દેશમાં વ્યવસાયની સુસ્ત ગતિ વચ્ચે ઔપચારિક અને અનૌપચારિક બંને ક્ષેત્રના 15 લાખથી વધુ લોકો બેરોજગાર બન્યા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર રોજગારી મેળવનારા લોકોની સંખ્યા જુલાઈમાં 399.38 મિલિયનથી ઘટીને ઓગસ્ટમાં 397.78 મિલિયન થઈ ગઈ. આ માત્ર એક મહિનામાં ગ્રામીણ ભારતમાં લગભગ 13 લાખ લોકોએ નોકરી ગુમાવી છે.</p> <p>CMIE અનુસાર જુલાઈમાં રાષ્ટ્રીય બેરોજગારીનો દર 6.95 ટકાથી વધીને 8.32 ટકા થયો છે. જો આપણે આંકડાઓ જોઈએ તો જુલાઈમાં તે 8.3 ટકા, જૂનમાં 10.07 ટકા, મેમાં 14.73 ટકા અને એપ્રિલમાં 9.78 ટકા હતો. માર્ચ મહિનામાં, કોરોના સંક્રમણની બીજી લહેર ભારતમાં આવે તે પહેલા, શહેરી બેરોજગારીનો દર 7.27 ટકાની આસપાસ હતો.</p> <p>જો આપણે આંકડાઓ જોઈએ તો ઓગસ્ટમાં રોજગાર દરમાં ઘટાડો થયો છે, પરંતુ તે જ મહિનામાં કર્મચારીઓની ભાગીદારી દરમાં થોડો વધારો થયો છે. આ CMIE ડેટા દર્શાવે છે કે મોટી સંખ્યામાં લોકો જોબ માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે. રિપોર્ટ બતાવે છે કે જુલાઈમાં લગભગ 30 મિલિયન લોકો કામની શોધમાં હતા, જ્યારે 36 મિલિયન લોકો ઓગસ્ટમાં સક્રિય રીતે કામ શોધી રહ્યા હતા.</p> <p>જો તમે રિપોર્ટ પર નજર નાખો તો કુલ શ્રમ દળનું કદ પણ વધ્યું છે. આવી સ્થિતિમાં કોરોનાની બીજી લહેરને કારણે ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ હતી. આ કંપનીઓના બંધ થવાના કારણે જોબ માર્કેટ સંકોચાઈ ગયું અને લોકોને રોજગારી મેળવવામાં મુશ્કેલી પડવા લાગી.</p>

from india https://ift.tt/3kQa2Dp
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...