<p>ગાંધીનગરઃ રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ભાજપે નરેંદ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. આ બંને નેતાઓ દિલ્લીથી રવાના થયા છે અને 9 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી સીધા ગાંધીનગર માટે રવાના થશે. નોંધનીય છે કે ગઇકાલે વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભારી છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. </p>
from gujarat https://ift.tt/3EjJOlN
from gujarat https://ift.tt/3EjJOlN
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો