મુખ્ય સામગ્રી પર જાઓ

પંજાબ કૉંગ્રેસ વિવાદ: સિદ્ધુએ સોનિયા ગાંધીને 13 મુદ્દાઓ પર પત્ર લખ્યો, મળવાનો સમય પણ માંગ્યો

<p>&nbsp;</p> <p>પંજાબ કોગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હજુ શાંત થયો નથી. &nbsp;નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં નવજોત સિદ્ધુએ ડ્રગ્સ, દારૂ માફિયાઓ સહિત 13 મુદ્દાનો ઉલ્લેખ કરી સોનિયા ગાંધીને પત્ર લખી પંજાબ સરકારને આ મુદ્દાઓ પર કામ કરવાનું કહેવામાં આવે તેમ જણાવ્યું છે. આ 13 મુદ્દા પર ચર્ચા માટે સિદ્ધુએ સોનિયા ગાંધી પાસે સમય માંગ્યો છે. સિદ્ધુએ પોતાને પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ ગણાવી કહ્યું કે તેમની પાસે સરકાર પર નજર રાખવાની જવાબદારી છે.&nbsp;</p> <p>સિદ્ધુએ કહ્યું કે સરકારમાં દલિત સમાજનો અવાજ મજબૂત કરવા માટે એક દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં રાજ્યમાં સમાન રીતે તેમને સ્થાન મળ્યું નથી. સિદ્ધુએ માગણી કરી છે કે ચન્ની કેબિનેટમાં ધાર્મિક સમાજના ઓછામાં ઓછા એક સભ્યને મંત્રી બનાવવો જોઈએ, ઉપરાંત દોઆબા વિસ્તારમાંથી અને પછાત વર્ગમાંથી બે મંત્રી બનાવવા જોઈએ. સિદ્ધુએ સોનિયાને લખેલા પત્રથી સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીને મળ્યા છતાં તેમની નારાજગીનો અંત આવ્યો નથી અને તેથી જ તેમણે હવે નવી રણનીતિ અપનાવી છે.</p> <p>રાહુલ ગાંધી સાથેની બેઠક દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. હરીશ રાવતે કહ્યું કે સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે પોતાની ચિંતાઓ શેર કરી. સિદ્ધુએ રાહુલ ગાંધીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ રાજીનામું પાછું ખેંચી લેશે. તેઓ PCC પ્રમુખ તરીકે ફરી કામ શરૂ કરશે.</p> <p>નવજોત સિંહ સિદ્ધુ શુક્રવારે રાહુલ ગાંધીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક બાદ સિદ્ધુએ નક્કી કર્યું હતું કે તેઓ પંજાબ યુનિટનાં પ્રમુખ તરીકે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, "ગમે તેટલી ફરિયાદો હતી, મેં તેને રાહુલ ગાંધી સાથે શેર કરી. તે બધું ઉકેલાઈ ગયું છે. "જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે, ત્યારે સિદ્ધુએ કહ્યું કે હું જે પણ કરી રહ્યો છું તે તમારી સામે જ છે.'</p> <p>કેપ્ટન અમરિંદર સિંહની નારાજગી છતાં નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ વર્ષે 18 જુલાઈએ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે વિવાદનો અંત આવ્યો ન હતો. આ પછી, 18 સપ્ટેમ્બરના રોજ, અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. આ પછી, 20 સપ્ટેમ્બરે ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે બાદમાં ચન્ની સરકારના કેટલાક નિર્ણયોથી નારાજ થઈને સિદ્ધુએ રાજીનામું આપ્યું હતું.</p>

from india https://ift.tt/3jaGjoC

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...