મુખ્ય સામગ્રી પર જાઓ

ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ભારત સામેની જીતને પાકિસ્તાનના મંત્રીએ ગણાવી ઈસ્લામની જીત, ઓવૈસીએ શું આપ્યો જડબાતોડ જવાબ ?

<p><strong>મુઝફ્ફરનગરઃ</strong> ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેણે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના મંત્રી શેખ રાશિદના તે નિવેદન પર આકરી ટિપ્પણી કરી હતી જેમાં તેણે ટી-20 મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીતને ઈસ્લામની જીત ગણાવી હતી. પોતાના નિવેદન પર ગુસ્સે ભરાયેલા ઓવૈસીએ કહ્યું કે પાડોશી દેશની ઈમરાન ખાન સરકારના મંત્રી કહે છે કે T20 વર્લ્ડ કપની મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીત ઈસ્લામની જીત હતી. તેણે પૂછ્યું કે ઇસ્લામ ક્રિકેટ મેચમાં શું કરશે? તેમણે બુધવારે યુપીના મુઝફ્ફરનગરમાં આયોજિત રેલીમાં આ વાત કહી.</p> <p>શેખ રાશિદના નિવેદન પર ગુસ્સે થયેલા ઓવૈસી માત્ર આટલેથી જ ન અટક્યા, પરંતુ તેમણે કહ્યું કે આપણા પૂર્વજો દેશના ભાગલા પછી પાકિસ્તાન ન ગયા તે માટે આભારની વાત છે. જો આવું થયું હોત તો આપણે પણ આ મૂર્ખાઓને જોવા પડત. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપની મેચમાં પહેલીવાર એવું બન્યું છે કે ભારત પાકિસ્તાન સામે દસ વિકેટે હારી ગયું. મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનની મેચના વખાણ કર્યા અને અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલીના નિવેદનના સોશિયલ મીડિયામાં પણ ખૂબ વખાણ થયા હતા. ભારત હવે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે.</p> <p>તમને જણાવી દઈએ કે ઓવૈસી ભૂતકાળમાં ઘણી વખત પાકિસ્તાન પર નિશાન સાધી ચૂક્યા છે. તેણે શરૂઆતમાં ટી20 મેચ માટે ભારત સરકારની ટીકા પણ કરી હતી. તેઓ હકમાં નહોતા કે ભારતે પાકિસ્તાન સાથે કોઈ મેચ રમવી જોઈએ, જ્યારે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં સતત આતંક ફેલાવી રહ્યું છે. હૈદરાબાદમાં એક રેલીમાં તેમણે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે એક તરફ પાકિસ્તાન આપણા દેશમાં આપણા લોકોને મારી રહ્યું છે અને અમે તેમની સાથે મેચ રમવા જઈ રહ્યા છીએ.</p>

from india https://ift.tt/3CrKJz6

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...