મુખ્ય સામગ્રી પર જાઓ

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારતને હરાવે તો પીસીબી માટે 'કોરો ચેક' તૈયાર જ છે, કોણે કરી આ મોટી જાહેરાત ?

<p><strong>India vs Pakistan in T20 World Cup: </strong>ક્રિકેટ મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા રોમાંચક મેચ હોય છે. જો બંને ટીમો વર્લ્ડકપ જેવી ટુર્નામેન્ટમાં આમને સામને હોય તો ક્રિકેટ ચાહકો ફાઇનલ પહેલા આ મેચને ફાઇનલ કહે છે. જ્યારે પણ આ બે કટ્ટર હરીફ સામસામે આવે છે, ત્યારે બંને ટીમના ખેલાડીઓ મેચ જીતવા પોતાની તમામ તાકાત લગાવતા હોય છે.</p> <p>જોકે, વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ ખૂબ જ શરમજનક છે. તે ક્યારેય વનડે અને ટી 20 બંને ફોર્મેટમાં ભારત સામે જીત નોંધાવી શક્યો નથી. જો તે આ વખતે આવું કરે છે, તો પાકિસ્તાનના મોટા રોકાણકાર આ વિજયના બદલામાં ટીમને કોરો ચેક આપવા તૈયાર છે.</p> <p>પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના નવા અધ્યક્ષ રમીઝ રાજાએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રિકેટ વેબસાઈટ ક્રિકેટ પાકિસ્તાનના એક સમાચાર અનુસાર, રમીઝ રાજાએ કહ્યું કે પાકિસ્તાનના એક મોટા ઉદ્યોગપતિએ તેમને વચન આપ્યું છે કે જો તેમની ટીમ આગામી ટી 20 વર્લ્ડ કપમાં ભારતને હરાવે તો તેઓ કોરો ચેક સોંપશે.</p> <p>પીસીબી ચીફ રમીઝ રાજાને બાબર આઝમની કેપ્ટન્સીવાળી ટીમમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે તે પોતાના કટ્ટર હરીફ ભારતને વર્લ્ડ કપમાં હરાવવામાં સફળ રહેશે.</p> <p>રમીઝે કહ્યું, 'એક મોટા રોકાણકારે મને કહ્યું કે જો આગામી ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ભારતને હરાવે તો પીસીબી માટે એક કોરો ચેક તૈયાર છે.' રમીઝ રાજાએ આ વાત આંતર-પ્રાંતીય સંકલન (આઈપીસી) ની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કહી હતી.</p> <p>તમને જણાવી દઈએ કે બંને ટીમો વર્લ્ડ કપમાં કુલ 12 વખત આમને -સામને છે. આ દરમિયાન, બંને ટીમો વનડે વર્લ્ડ કપમાં 7 વખત અને ટી 20 વર્લ્ડ કપમાં 5 વખત એકબીજા સામે રમ્યા છે. વનડે વર્લ્ડ કપમાં તેનો રેકોર્ડ 7-0 છે, જ્યારે ટી 20 વર્લ્ડ કપમાં તે આજ સુધી ભારત સામે જીત્યો નથી.</p> <p>વર્ષ 2007 માં પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપમાં જ્યારે બંને ટીમો પ્રથમ વખત સામસામે આવી હતી, ત્યારે પાકિસ્તાને ભારત સામે મેચ રમી હતી પરંતુ મેચ ટાઈ થયા બાદ બોલ્ડ આઉટમાં પાકિસ્તાન હારી ગયું હતું.</p>

from gujarat https://ift.tt/3021QJn

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...