મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાથી મોત માટે 50 હજાર રૂપિયાના વળતરને સુપ્રીમ કોર્ટની મંજૂરી, દાવાના 30 દિવસની અંદર રૂપિયા ચૂકવવા પડશે

<p><strong>નવી દિલ્હી:</strong> સુપ્રીમ કોર્ટે કોરોનાને કારણે મૃત્યુ માટે 50 હજાર રૂપિયાનું વળતર આપવાના કેન્દ્રના નિર્દેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે મૃતકના પરિવારને આ વળતર અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે. આ ચુકવણી દાવાની 30 દિવસની અંદર કરવામાં આવશે. આ રકમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી આપવામાં આવશે.</p> <p>23 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહ અને એએસ બોપન્નાની ખંડપીઠે આ મામલે આદેશ અનામત રાખ્યો હતો. તે દિવસે કેન્દ્રએ દરેક મૃત્યુ માટે 50,000 રૂપિયાનું વળતર નક્કી કરવા અંગે કોર્ટને જાણ કરી હતી. ત્યારબાદ કોર્ટે આ અંગે સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારત જે પ્રતિકૂળ સંજોગોમાં કરી શકે છે તે અન્ય કોઈ દેશ કરી શકતો નથી. દુ:ખ ભોગવનારાઓના આંસુ લૂછવા માટે કંઈક કરવામાં આવી રહ્યું છે તે ખુશીની વાત છે.</p> <p><strong>શું બાબત છે?</strong></p> <p>30 જૂને આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં કોરોનાથી થતા દરેક મૃત્યુ માટે વળતર આપવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે આવી આફતમાં લોકોને વળતર આપવું સરકારની વૈધાનિક ફરજ છે. પરંતુ કોર્ટે વળતરની રકમ કેટલી હશે તે નક્કી કરવાનું સરકાર પર છોડી દીધું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ને વળતરની રકમ નક્કી કરવા અને 6 અઠવાડિયામાં રાજ્યોને જાણ કરવા કહ્યું હતું. NDMA એ બાદમાં કોર્ટ પાસે વધારાનો સમય માંગ્યો હતો. તેણે કોર્ટના નિર્ણયના આશરે 12 અઠવાડિયા બાદ વળતર અંગે નિર્ણય લીધો હતો. આને હવે કોર્ટે ઔપચારિક મંજૂરી આપી દીધી છે.</p> <p><strong>કોર્ટે બીજું શું કહ્યું?</strong></p> <p>કોર્ટે એમ પણ કહ્યું છે કે રાજ્યો ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના ન લખ્યું તો વળતર આપવાની ના પાડી શકશે નહીં. વહેલામાં વહેલી તકે રાજ્યએ દરેક જિલ્લામાં એક સમિતિની રચના માટે જાહેરનામું બહાર પાડવું જોઈએ જ્યાં લોકો વળતર માટે દાવો કરી શકે. આ સાથે તમે મૃત્યુ પ્રમાણપત્રમાં સુધારા માટે પણ અરજી કરી શકો છો. જેઓ કોરોનાને કારણે ઘરે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારો પણ વળતર મેળવવાના હકદાર રહેશે.</p>

from india https://ift.tt/3A2oCxf

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...