મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત હાઈકોર્ટના ક્યા 7 નવા જજે લીધા શપથ, કોણે નવા જજને ન્યાયપાલિકા માટે ‘લકી સેવન’ ગણાવ્યા ?

<p><strong>અમદાવાદઃ</strong> ગુજરાત હાઇકોર્ટમાં નવ નિયુક્ત 7 જજીસનો શપથવિધિ સમારોહ સોમવારે સવારે યોજાયો હતો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે 7 નવ નિયુક્ત જજીસને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ મોના ભટ્ટ, જસ્ટિસ સમીર દવે,&nbsp; જસ્ટિસ હેમંત પ્રચ્છક, જસ્ટિસ સંદીપ ભટ્ટ, જસ્ટિસ અનિરુદ્ધ માયી,&nbsp; જસ્ટિસ નિરલ મેહતા અને જસ્ટિસ નિશા ઠાકોરની હાઈકોર્ટના જજ તરીકે શપથવિધી થઈ છે. આ શપથ વિધિ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બેલા ત્રિવેદી પણ ઉપસ્થિત રહયા હતા.</p> <p>આ સાથે જ હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સિનિયર એડવોકેટ્સ, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ&nbsp; 7 નવા જજીસની નિયુક્તિ બાદ હાઇકોર્ટના કુલ જજીસની સંખ્યા 31ની થઈ છે.&nbsp; હાઇકોર્ટમાં કુલ 52 જજીસમાંથી હવે 31 જજીસની પોસ્ટ ભરાયેલી છે.</p> <p>આ પ્રસંગે ઉપસ્થિત કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નવી નિમણૂકોથી ન્યાય વ્યવસ્થા સુદ્રઢ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ સાથે જ હાઇકોર્ટ સાથે સંકલન કરીને કોર્ટના હુકમની નકલ સીધી જ સરકારી વિભાગને મળી રહે એવી નવી વ્યવસ્થા ઉભી કરવાની જાહેરાત કરી.</p> <p>રાજેન્દ્ર ત્રિવેદી (કાયદા મંત્રી)એ કહ્યું કે, હાઇકોર્ટમાં જજીસ નિમણૂક થઈ તે આનંદની વાત છે. નવા 7 જજીસની નિમણૂક ને હું ન્યાયપાલિકા માટે લકી 7 ગણાવીશ. નવા જજીસ આવવાથી ન્યાય વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. હાઇકોર્ટના સંકલનમાં સરકાર નવી વ્યવસ્થા ઉભી કરી રહી છે, જેમાં હાઇકોર્ટના ચુકાદા ની નકલ સીધી જ સરકારના સંલગ્ન વિભાગને મળશે, જેનાથી એ ચુકાદો સ્વીકારી લેવો કે ચુકાદા સામે ઇપલી ની અદાલતમાં અપીલ કરવી તેનો ત્વરિત નિર્ણય થઈ શકશે. આના કારણે સરકાર કે અન્ય પક્ષકારને સમયના વિલંબમાંથી રાહત મળશે અને ન્યાયની પ્રક્રિયા સુદ્રઢ બનશે.&nbsp; આ નવી વ્યવસ્થાથી સરકાર પર આવતું ભારણ પણ ઘટશે અને પક્ષકારોને ઝડપી ન્યાય મળશે. તેમણે કહ્યું કે, ન્યાય તંત્રને જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે.</p>

from gujarat https://ift.tt/3BNif2m

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...