મુખ્ય સામગ્રી પર જાઓ

જમ્મુ કાશ્મીરઃ છ દિવસમાં સાત લોકની હત્યા બાદ મોટી કાર્યવાહી, સુરક્ષા દળોએ 700 લોકોની અટકાયત કરી

<p><strong>શ્રીનગર:</strong> જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષા દળોએ 700 લોકોની અટકાયત કરી છે. આ લોકોની છ દિવસમાં કાશ્મીરી પંડિત, શીખ અને મુસ્લિમ સમુદાયના લોકો સહિત સાત નાગરિકોની હત્યાના કેસમાં અટકાયત કરવામાં આવી છે. અટકાયતમાં લેવાયેલા લોકોમાં આશરે 500 લોકો એવા છે કે જેઓ પ્રતિબંધિત ધાર્મિક અને આતંકવાદી સંગઠનો સાથે શંકાસ્પદ રીતે સંબંધ ધરાવે છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ કાશ્મીરમાં સતત હુમલાને રોકવા માટે આ કાર્યવાહી કરી છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાલિબાનના સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથીઓના ઉદયને કારણે હુમલા થઈ શકે છે. આ સાથે આતંકવાદીઓ સરળ ટાર્ગેટને નિશાન બનાવી શકે છે.</p> <p>અગાઉ રવિવારે એનઆઈએએ કાશ્મીર ખીણમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆઈએફ) ના બે સભ્યોની ધરપકડ કરી હતી. ટીઆરએફ પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા જૂથનું મોખરાનું સંગઠન હોવાનું માનવામાં આવે છે. TRF એ કાશ્મીર ઘાટીમાં નાગરિકોની લક્ષિત હત્યાની જવાબદારી સ્વીકારી છે. એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે કુલગામ, શ્રીનગર અને બારામુલ્લા જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ -કાશ્મીર પોલીસના સહયોગથી સાત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.</p> <p>એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન, બારામુલ્લાના તૌસીફ અહમદ વાની અને વમપુરાના ફૈઝ અહમદ ખાનની ટીઆરએફના બે સભ્યોની આતંકવાદી પ્રવૃત્તિઓના કાવતરામાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે દરોડા દરમિયાન મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ, અન્ય શંકાસ્પદ સામગ્રી સહિત અનેક ડિજિટલ ઉપકરણો મળી આવ્યા હતા.</p> <p><strong>AAP </strong><strong>એ કાશ્મીરમાં નાગરિકોની હત્યા સામે કેન્ડલ માર્ચ કરી</strong></p> <p>તાજેતરમાં આતંકીઓ દ્વારા સામાન્ય લોકોની હત્યાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રવિવારે પંજાબમાં કેન્ડલ માર્ચ કરી હતી. આમ આદમી પાર્ટીના પંજાબ ધારાસભ્યો અને પ્રવક્તા કુલતાર સિંહ સંધવાન અને અમન અરોરાએ જણાવ્યું હતું કે જમ્મુ -કાશ્મીરમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રાજ્યના તમામ જિલ્લા મથકોમાં કેન્ડલ માર્ચ કરી હતી.</p> <p><strong>PDP </strong><strong>એ J&amp;K </strong><strong>ના લેફ્ટનન્ટ ગવર્નરના રાજીનામાની માંગ કરી </strong></p> <p>પીડીપીએ તાજેતરમાં જ આતંકવાદીઓ દ્વારા નાગરિકોની હત્યાના મુદ્દે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના રાજીનામાની માંગણી કરતા કહ્યું હતું કે વહીવટીતંત્ર લોકોમાં સલામતીની ભાવના ઉભી કરવામાં નિષ્ફળ રહ્યું છે. પીડીપીના મુખ્ય પ્રવક્તા સુહેલ બુખારીએ અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિ ચિંતાજનક છે અને આ ઘટનાઓએ જમ્મુ -કાશ્મીરમાં સામાન્યતાના "ખોટા" પ્રવચનોનો પર્દાફાશ કર્યો છે.</p> <p>છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ -કાશ્મીરમાં ઘણા લોકોના મોત થયા છે. ગયા ગુરુવારે મુખ્ય શિક્ષિકા સુપિન્દર કૌર અને શિક્ષક દીપક ચંદની શ્રીનગરની એક શાળાની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. છેલ્લા છ દિવસમાં કાશ્મીર ખીણમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે. તેમાંથી ચાર લઘુમતી સમુદાયના હતા.</p>

from india https://ift.tt/3uZQVv4

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...