મુખ્ય સામગ્રી પર જાઓ

પીએમ મોદીએ યુપીને આપી 9 મેડિકલ કૉલેજોની ગિફ્ટ, કહ્યું- યોગીજીએ બચાવ્યુ હજારો બાળકોનુ જીવન

<p><strong>PM Modi UP Visit:</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેડિકલ કૉલેજની ગિફ્ટ આપી છે. સિદ્વાર્થનગરમાં મંચ પરથી જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ આરોગ્યનો ડબલ ડૉઝ લઇને આવ્યો છે. તેમને કહ્યું કે, પૂર્વાંચલની આ ધરતી દેશને ડૉક્ટરો આપવાની છે. વડાપ્રધાન મંત્રીએ રાજ્યની પૂર્વવર્તી સમાજવાદી પાર્ટીના સરકાર પર પણ &nbsp;જોરદાર નિશાન સાધ્યુ. વડાપ્રધાન મોદીએ સિદ્ધાર્થનગરમા બનેલી મેડિકલ કોજેલનું લોકાર્પણ કર્યું હતું. સાથે તેમણે એટા, હરદોઇ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરિયા, ગાજીપુર, મિર્ઝાપુર અને જૌનપુરની મેડિકલ કોલેજોનું પણ ડિઝિટલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની શરૂઆત કરી હતી. વડાપ્રધાન 5200 કરોડ રૂપિયાથી વધુ પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યું હતું. યોજના હેઠળ ત્રણ તબક્કામાં દેશભરમાં 157 નવી મેડિકલ કોલેજને મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી 63 મેડિકલ કોલેજનુ અગાઉથી સંચાલન ચાલી રહ્યું છે.&nbsp;</p> <p>લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે શું કોઇને યાદ છે કે ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં ક્યારેય એક સાથે આટલી બધી મેડિકલ કોલેજનું લોકાર્પણ થયું છે. શું ક્યારેય આવું થયું છે. અગાઉ આવું ક્યારેય થયું નથી અને હવે આવું થઇ રહ્યું છે. એનુ કારણ છે રાજકીય ઇચ્છાશક્તિ અને રાજકીય પ્રાથમિકતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના ભાઇ-બહેન ભૂલી શકતા નથી કેવી રીતે યોગીજીએ સંસદમાં ઉત્તર પ્રદેશની ખરાબ મેડિકલ વ્યવસ્થાની વ્યથા સંભળાવી હતી. તે સમયે યોગીજી મુખ્યમંત્રી નહોતા, સાંસદ હતા.&nbsp;</p> <p>મોદીએ કહ્યું કે જે પૂર્વાંચલની છબિ છેલ્લી સરકારોએ ખરાબ કરી હતી એ પૂર્વાંચલ ઉત્તર પ્રદેશને સ્વાસ્થ્યનો નવો રાહ ચિંધશે. ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલમાં આસ્થા, આધ્યાત્મ અને સામાજિક જીવન સાથે જોડાયેલી વિસ્તૃત વારસો છે. આજે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં જે સરકાર છે તે અનેક કર્મયોગીઓની દાયકાઓની તપસ્યાનું ફળ છે. સિદ્ધાર્થનગરે પણ સ્વર્ગીય માધવ પ્રસાદ ત્રિપાઠીના રૂપમાં આવા સમર્પિત જનપ્રતિનિધિ દેશને આપ્યા છે. સિદ્ધાર્થનગરની નવી મેડિકલ કોલેજનું નામ માધવ બાબૂના નામ પર રાખવામાં આવ્યું છે. તેમનું નામ અહીં અભ્યાસ કરનારા યુવા ડોક્ટરોને જનસેવાની સતત પ્રેરણા આપશે.&nbsp;</p> <p>વડાપ્રધાને કહ્યું કે યોગીજી અગાઉની સરકારોએ પોતાના કાર્યકાળમાં ઉત્તરપ્રદેશમાં ફક્ત છ મેડિકલ કોલેજ બનાવી હતી. મુખ્યમંત્રી યોગીજીએ કાર્યકાળમાં 16 મેડિકલ કોલેજ શરૂ કરી દીધી છે અને 30 નવી મેડિકલ કોલેજો પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. રાજ્યમાં 90 લાખ દર્દીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફતમાં સારવાર મળી છે.</p>

from india https://ift.tt/3Ea0gnC

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...