Arvind Trivedi Death: ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન પર પીએમ મોદીએ શું કહ્યું ? જાણો વિગત
<p><strong>મુંબઈ:</strong> 1987 માં દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગરની અત્યંત લોકપ્રિય પૌરાણિક સિરિયલ 'રામાયણ'માં રાવણનો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારે રાત્રે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. તેઓ 82 વર્ષના હતા અને લાંબા સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. આ કારણે તે ચાલવામાં પણ અસમર્થ હતા.</p> <p>અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ એબીપી ન્યૂઝને ફોન પર તેના કાકા અરવિંદ ત્રિવેદીના મૃત્યુની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, "કાકા છેલ્લા કેટલાક વર્ષોથી સતત બીમાર હતા. છેલ્લા 3 વર્ષથી તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. આવી પરિસ્થિતિમાં, તેને બે-ત્રણ વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તે એક મહિના પહેલા ફરી એક વખત હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા હતા. મંગળવારે રાત્રે 9-9.30 વાગ્યે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને કાંદિવલીમાં તેના ઘરમાં જ તેનું મૃત્યુ થયું હતું. "</p> <p>પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, આપણે અરવિંદ ત્રિવેદીને ગુમાવ્યા છે, જે માત્ર એક અપવાદરૂપ અભિનેતા જ નહોતા પણ જાહેર સેવા પ્રત્યે પણ ઉત્સાહી હતા. ભારતીયોની પેઢીઓ તેમને રામાયણ ટીવી સિરિયલમાં તેમના કામ માટે યાદ કરશે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">We've lost Arvind Trivedi, who was not only an exceptional actor but also was passionate about public service. For generations of Indians, he'll be remembered for his work in Ramayan TV serial: PM Modi extends condolences to the family of Arvind Trivedi<br />(Pic source: PM's Twitter) <a href="https://t.co/yNc90Lu8Nu">pic.twitter.com/yNc90Lu8Nu</a></p> — ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1445606031267012613?ref_src=twsrc%5Etfw">October 6, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p> <strong>અરવિંદ ત્રિવેદીની અભિનય કારકિર્દી</strong></p> <p>શરૂઆતના તબક્કામાં, 'રામાયણ' સિરિયલમાં કામ કરતી વખતે અરવિંદ ત્રિવેદીને ખ્યાલ પણ નહોતો કે સિરિયલની લોકપ્રિયતા અને તેના પાત્રને કારણે લોકો તેના વ્યક્તિત્વને એટલી નફરત કરવા લાગશે કે જાણે તે સાચો રાવણ હોય અને વાસ્તવિક જીવન પણ વિલન હોય. 'રામાયણ'માં કામ કરતા પહેલા સેંકડો ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા અરવિંદ ત્રિવેદીએ કલ્પના પણ નહોતી કરી કે 'રામાયણ'માં રાવણનું પાત્ર ભજવવાથી તેની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચશે અને તેની ઓળખ એક ગુજરાતી અભિનેતાથી અલગ રાષ્ટ્રવ્યાપી સ્તરે અલગથી ઓળખ બનશે અને જોતજોતામાં તેઓ ઘરે ઘરે ઓળખાશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">ગુજરાતી ચલચિત્રના ભિષ્મપિતામહ અને રામાયણ ધારાવાહિકમાં “લંકેશ” ના પાત્રથી લોકચાહના પ્રાપ્ત કરનાર શ્રી અરવિંદભાઈ ત્રિવેદીના દુ:ખદ નિધનથી શોકાતુર છું. પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના..! <a href="https://t.co/6UruvC0oHp">pic.twitter.com/6UruvC0oHp</a></p> — Bhupendra Patel (@Bhupendrapbjp) <a href="https://twitter.com/Bhupendrapbjp/status/1445592482436169728?ref_src=twsrc%5Etfw">October 6, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>'રામાયણ' પછી અરવિંદ ત્રિવેદીએ 'વિક્રમ અને બેતાલ' સિવાય અન્ય ઘણી હિન્દી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ આજે પણ તેઓ રામાનંદ સાગરની 'રામાયણ'માં રાવણની ભૂમિકા માટે જાણીતા છે. તેમણે 300 થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો અને ઘણા ગુજરાતી નાટકોમાં તેમના મજબૂત અભિનયની છાપ છોડી.</p> <p>'રામાયણ'માં રાવણના તેમના પાત્રની સફળતા બાદ અરવિંદ ત્રિવેદીને ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી. તેમણે ગુજરાતના સાબરકાંઠાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી એટલું જ નહીં, રાવણના પૌરાણિક પાત્રની સફળતાને કારણે તેઓ ચૂંટણી પણ જીત્યા હતા. તેઓ 1991 થી 1996 સુધી લોકસભા સાંસદ હતા. અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી રંગભૂમિ અને સિનેમાના જાણીતા અભિનેતા હતા.</p>
from india https://ift.tt/3aauhqj
from india https://ift.tt/3aauhqj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો