Ashish Mishra Arrested: લખીમપુરખીરી કેસમાં મુખ્ય આરોપી આશીષ મિશ્રાની 12 કલાકની પૂછપરછ બાદ ધરપકડ, જાણો પોલીસે શું કહ્યું ?
<p>Lakhimpur Violence Case: લખીમપુર ખીરી હિંસા કેસના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. આશિષ મિશ્રાની SIT ટીમ દ્વારા લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સંપૂર્ણ સવાલ અને જવાબ પછી પોલીસે તેની ધરપકડ કરી. ધરપકડ બાદ પોલીસે કહ્યું કે આશિષ મિશ્રા તપાસમાં સહકાર આપી રહ્યા નથી. તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા ન હતા.</p> <p>તમને જણાવી દઈએ કે આશિષ મિશ્રા શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં હાજર થયા હતા. SIT એ આશિષ મિશ્રાને ત્રણ ડઝનથી વધુ પ્રશ્નો પૂછ્યા. યુપી પોલીસના ડીઆઈજી ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે આશિષ મિશ્રાએ ઘણા સવાલોના જવાબ આપ્યા નથી. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.</p>
from india https://ift.tt/3uXE8cK
from india https://ift.tt/3uXE8cK
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો