મુખ્ય સામગ્રી પર જાઓ

ઉત્તરાખંડમાં મેઘતાંડવ, ચારધામ યાત્રા અટકી, ગુજરાત સહિત દેશભરના હજારો યાત્રિકો ફસાયા

<p>ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે.</p> <p>મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટુંકાવાનો વારો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે ત્રણ હજારથી વધુ વાહનો અટવાયા છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે.</p> <p>ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈના જણાવ્યા અનુસાર તેઓ હાલ ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છે. તો અમદાવાદના નવા વાડજમાં રહેતા એક દંપતિ પણ ભારે વરસાદથી બે દિવસથી કેદારનાથમાં ફસાયું છે.</p> <p>અરવિંદ આહિરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે કેદારનાથમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા છે. ફસાયેલા બેથી ત્રણ હજાર લોકોમાં ગુજરાતીઓ પણ છે. જેમણે સોશલ મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને મદદની ગુહાર લગાવી છે.</p> <p><strong>આગામી 48 કલાક સુધી ઉત્તરાખંડમાં સ્થિતિ ભારે ખરાબ થઈ શકે છે</strong></p> <p>માત્ર દક્ષિણમાં જ નહીં પણ ઉત્તરમાં પણ કુદરતે પાયમાલી સર્જી છે. ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં સામાન્ય જનજીવન ખોરવાયું છે. આગામી 48 કલાકમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી છે, આવી સ્થિતિમાં પરિસ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ થઈ શકે છે.</p> <p>છેલ્લા 24 કલાકમાં 150 મીમીથી વધુ મુશળધાર વરસાદ નૈનીતાલની સુંદરતાને પાણીની જેમ શોષી લીધો છે. નૈનીઝિલનું પાણી પ્રથમ વખત નૈના દેવી મંદિરની અંદર પહોંચ્યું છે. તળાવનું પાણી અહીંથી આવતા રાહદારીઓ માટે પણ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. મુશળધાર વરસાદને કારણે નૈનીતાલમાં પણ ભૂસ્ખલન શરૂ થયું છે.</p> <p>સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ પર નજર રાખવા માટે દહેરાદૂનમાં એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. સીએમ પુષ્કર ધામી પણ કંટ્રોલ રૂમ દ્વારા રાહત અને બચાવ કાર્યનો હિસાબ લઈ રહ્યા છે. ઉત્તરાખંડની સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા બંધ કરવામાં આવી છે.</p>

from india https://ift.tt/3AXN1Eq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...