મુખ્ય સામગ્રી પર જાઓ

શું તમારું બાળક પણ વધારે પડતું ટીવી કે મોબાઈલ જુએ છ? થઈ શકે છે આ ગંભીર સમસ્યા

<p>વૈશ્વિક સ્તરે નાના બાળકોમાં આંખોને લગતી સમસ્યાઓનું પ્રમાણ છેલ્લા બે વર્ષના સમય દરમિયાન બમણું થયું છે. જેના મુખ્ય કારણો જોઈએ તો કોવિડને કારણે લદાયેલા નિયંત્રણોના પરિણામે, વર્તમાન સમયમાં બાળકોની ઈનડોર ગેમ્સ, વધુ પડતું ટીવી જોવું અને ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ અમલી બનતા નાના બાળકોમાં આંખને લગતી સમસ્યાઓ ખૂબ વધવા પામી છે. કમનસીબે આ વધારો પુખ્તવયના લોકોની તુલનાએ નાની વયના બાળકોમાં વધુ જોવાય છે.</p> <p><strong>નાના બાળકોની આંખની સમસ્યામાં કેટલા ટકાનો વધારો થયો</strong></p> <p>પહેલાના સમય કરતા વધારે વર્તમાન સમયમાં નાની વયના બાળકોમાં આંખને લગતી સમસ્યાઓની ફરિયાદમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, જે બાળકોને આંખને લગતી સમસ્યાઓ હતી તેવા બાળકોમાં આંખને લગતી સમસ્યાઓના પ્રમાણમાં ૮૦ ટકાનો વધારો જોવા મળ્યો છે, તેમ અમદાવાદના જાણીતા પીડ્યાટ્રીક ઓપ્થોલોજીસ્ટ ડો.કલ્પિત શાહે જણાવ્યું હતું.</p> <p><strong>કઈ કઈ સમસ્યા જોવા મળે છે</strong></p> <p>તેમના કહેવા મુજબ, નાના બાળકોમાં આંખને લગતી ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે ત્રાંસી આંખ હોવી, આળસુ આંખ હોવી, દ્રષ્ટિના વિકાસની ખામી, સૂકી આંખ થવી, જન્મજાત મોતિયો થવો, ચશ્માંની ખામી થવી, આંખનાં સ્નાયુની તકલીફો વગેરે સમસ્યાઓના ઘણાબધાં કારણો હોય છે. આ સિવાય વર્તમાન સમયમાં પ્રિમેચ્યોર ડિલવરી વધારે પ્રમાણમાં થાય છે. આવા સંજોગોમાં બાળકને બચાવવા માટે કાચની પેટીમાં રાખવામાં આવે છે અને ઓકસિજન આપવામાં આવે છે, પરંતુ ઘણીવાર એ જ ઓકસિજનના કારણે બાળકની આંખનો વિકાસ અટકતો જોવા મળે છે. જેની ખબર લાંબાગાળે જોવા મળે છે. આવા કિસ્સાઓમાં જે તે સમયે આંખના નિષ્ણાત ડોકટરની સલાહ લેવી અત્યંત જરૂરી બને છે. આ સિવાય જીનેટેકલી સમસ્યા અને વિટામિન ડી &ndash; ૩ની ઉણપના કારણે પણ નાના બાળકોમાં આંખના નંબરની, તેમજ ડ્રાય આંખની સમસ્યાઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. &nbsp;</p> <p>નાના બાળકોમાં આંખોને લગતી વધેલી સમસ્યાઓ ચિંતાનો વિષય છે</p>

from india https://ift.tt/3m4POaG

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...