મુખ્ય સામગ્રી પર જાઓ

આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, ખેલૈયાઓના રંગમાં પડી શકે છે ભંગ

<p>નવરાત્રીની શરૂઆતની સાથે જ ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાદરા નગર હવેલી, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેંદ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદ વરસી શકે છે.</p> <p>તો રવિવારે સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સોમવારે ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, જ્યારે મંગળવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, દીવમાં 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.</p> <p><strong>વડોદરામાં રોગચાળો વકર્યો</strong></p> <p>કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કારણે રાજ્યની મોટાભાગની હોસ્પિટલ હાઉસફૂલ થઈ છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલમાં દરરોજ 100 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે. જેના કારણે ઓપીડી હાઉસફૂલ થઈ છે. વડોદરામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 1 હજાર 632, ચિકનગુનિયાના 911, વાયરલ ફીવરના 11 હજાર 549 કેસો નોંધાયા છે.</p> <p><strong>અમદાવાદમાં પ્રદૂષણ</strong></p> <p>રાજ્યના ઘણા શહેરોમાં મોટાપાયે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે..આ વાતનો સ્વીકાર ખુદ સરકારે હાઈકોર્ટમાં કર્યો છે. GPCBએ ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ કરી કહ્યું કે, અમદાવાદના વટવા, વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત અને રાજકોટ શહેર અતિ પ્રદૂષિત છે. રાજ્યના મહાનગરો અને અન્ય શહેરોના વાયુ પ્રદૂષણનો બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. &nbsp;જેમાં વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદમાં વટવા વિસ્તાર અતિ ગંભીર રીતે પ્રદૂષિત હોવાની વાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકારી છે.</p> <p>આ સિવાય ભાવનગર, મોરબી, જૂનાગઢ અને અમદાવાદના નરોડા-ઓઢવ વિસ્તાર અતિ પ્રદૂષિત હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. સોગંદનામાં શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હોવાની સોગંદનામાં કરવામાં આવી છે. ઉપરાંત</p> <p>15 વર્ષથી જૂના વાહનો રસ્તા પર ચલાવવા પર રોક લગાવવાનો નિર્ણયનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે.</p>

from gujarat https://ift.tt/3iIHE5G

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...