મુખ્ય સામગ્રી પર જાઓ

પનામા પેપર્સનું ભૂત ફરી ધૂણ્યું, ટીમ ઈન્ડિયાના મહાન ક્રિકેટરને લઈ થયો ચોંકાવનારો ખુલાસો

<p>ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ ફરી એક વખત ટેક્સ ચોરીની તપાસ કરી છે અને એક મોટું રહસ્ય ઉજાગર કર્યું છે. 2016 માં લીક થયેલા પનામા પેપર્સ કેસમાં કરચોરીમાં મોટા ઉદ્યોગપતિઓના નામ હતા. હવે ફરી ICIJ એ દાવો કર્યો છે કે ભારતીય સેલિબ્રિટીઓ પણ કરચોરીમાં સામેલ છે. આમાં ભારતીય ક્રિકેટરનું નામ પણ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત પોપ સિંગર શકીરાનું નામ પણ છે.</p> <p>ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે પનામા પેપર્સ લીક ​​થયા બાદ ઘણી ભારતીય હસ્તીઓ સાવચેત થઈ ગઈ છે, જેથી તેમની કરચોરીનો પર્દાફાશ ન થઈ શકે. ICIJ એ 1.19 કરોડ દસ્તાવેજો સ્કેન કર્યા હતા, જેમાં UKના BBC અને ધ ગાર્ડિયન ન્યૂઝપેપર, ભારતના ધ ઈન્ડિયન એક્સપ્રેસ સહિત 150 મીડિયા આઉટલેટના પત્રકારો સામેલ થયા હતા. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પણ આ યાદીમાં સામેલ છે.</p> <p><strong>સચિને પનામા પેપર્સ લીક કેસના ત્રણ મહિના બાદ બ્રિટિશ આઇલેન્ડ મિલકત વેચી</strong></p> <p>આ તપાસમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનું નામ પણ સામે આવ્યું છે. ICIJ અનુસાર, સચિને પનામા પેપર્સ લીક ​​કેસના ત્રણ મહિના બાદ પોતાની બ્રિટિશ આઇલેન્ડની મિલકત વેચવાનું શરૂ કર્યું હતું. રિપોર્ટમાં 60 થી વધુ ભારતીયોના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.</p> <p><strong>ચાલુ વર્ષે ભારત સરકારે પનામા પેપર્સને લઈ કર્યો હતો આ ખુલાસો</strong></p> <p>2016 માં હાથ ધરાયેલી તપાસમાં બહાર આવ્યું કે ભારતના ઘણા સરકારી અધિકારીઓ, રમત અને સિનેમાના ઘણા મોટા સ્ટાર્સ પણ આમાં સામેલ હતા. આ વર્ષે જુલાઈમાં, ભારત સરકારે એક ખુલાસો કર્યો હતો જેમાં પનામા પેપર્સથી સંબંધિત 20,078 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિઓ મળી આવી હતી.</p> <p><strong>2016માં આ લોકોના નામ આવ્યા હતા સામે</strong></p> <p>ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) એ 2016 માં એક તપાસ હાથ ધરી હતી, જેમાં તેને દુનિયાભરના ઘણા પ્રખ્યાત લોકોની કરચોરી વિશે જાણવા મળ્યું હતું. આ તપાસમાં જોર્ડનના રાજા, યુક્રેન, કેન્યા અને ઈક્વાડોરના રાષ્ટ્રપતિઓ, ચેક રિપબ્લિકના વડા પ્રધાન અને પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોન બ્લેર સામેલ હતા. એટલું જ નહીં, ભારત, અમેરિકા અને રશિયા જેવા દેશોના 130 અબજોપતિઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">NEW: <a href="https://twitter.com/hashtag/PandoraPapers?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#PandoraPapers</a> reveals the inner workings of a shadow economy that benefits the wealthy and well-connected at the expense of everyone else.<br /><br />Brought to you by ICIJ and 600+ journalists, the largest collaboration in journalism history. 🧵 <a href="https://ift.tt/3mnLxyc> &mdash; ICIJ (@ICIJorg) <a href="https://twitter.com/ICIJorg/status/1444703213349969929?ref_src=twsrc%5Etfw">October 3, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p>

from world https://ift.tt/3mjqY5P

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...