મુખ્ય સામગ્રી પર જાઓ

કેરળમાં ભારે વરસાદની વચ્ચે અનોખા લગ્ન, મોટા વાસણમાં બેસીને લગ્મ મંડપ સુધી પહોંચ્યા નવ દંપતિ

<p>એક તરફ જ્યાં કેરળમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાય છે. ત્યારે એક સ્વાસ્થ્યકર્મી દંપતિ સોમવારે જળમગ્ન સડકો પર એલ્યુમિનિયમના એક મોટા વાસણમાં બેસીને લગ્નના મંડપ સુધી પહોંચ્યા અને લગ્નના બંધનમાં બંધાયા. થલાવડીમાં એક મંદિર નજીક જળમગ્ન લગ્નમંડપમાં બંન્ને લગ્નના બંધનમાં જોડાયા.</p> <p>લગ્નમાં કેટલાક ગણ્યાગાંઠ્યા જ સંબંધીઓ આવ્યા હતા. આકાશ અને એશ્વર્યા નામના આ નવ દંપતિનો વીડિયો હાલ તો સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. થલાવડી જિલ્લામાં વધતા જળસ્તરનું રિપોર્ટિંગ કરવા માટે એક મીડિયાકર્મી ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પૂરની વચ્ચે આ અનોખા લગ્નની માહિતી મળતા જ રિપોર્ટર ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં નવવિવાહિત દંપતિએ જણાવ્યું હતુ કે કોરોનાની મહામારીને લીધે તેઓએ થોડા જ સંબંધીઓને આમંત્રિત કર્યા હતા.</p> <p>તેમણે જણાવ્યું કે તેમના લગ્ન સોમવારે નક્કી થયા હતા. અને શુભ મુહૂર્તને લીધે તેઓ લગ્નને ટાળવા નહોતા ઈચ્છતા. એટલા માટે જ તેઓ થોડા દિવસ અગાઉ જ મંદિર આવી પહોંચ્યા હતા. પરંતુ છેલ્લા દિવસોમાં વરસેલા ધોધમાર વરસાદથી મંદિરમાં પાણી ભરાઈ ગયુ હતુ. જેથી તેઓએ આ રીતે વાસણમાં બેસીને લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા. બંન્ને સ્વાસ્થ્ય કર્મી આકાશ અને એશ્વર્યા ચૈંગન્નુરની એક હોસ્પિટલમાં કામ કરે છે.</p> <p>મોટા રસોઈના વાસણમાં બેસીને લગ્ન માટે જઈ રહેલા આકાશ અને ઐશ્વર્યાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આકાશે પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમની વચ્ચે આંતરજાતીય સંબંધો હતા જેનો ઐશ્વર્યાના એક કાકાએ વિરોધ કર્યો હતો અને તેથી તેઓએ 5 ઓક્ટોબરના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ, તેઓએ વિલંબ કર્યા વિના હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ અહીંના થાકાજીમાં તેમના ઘર નજીકના મોટાભાગના મંદિરોમાં લગ્ન માટે 15 દિવસ અગાઉથી બુકિંગ કરવાની વાત કરી રહ્યા હતા. અંતે, તેને થલાઇવાડીમાં એક મંદિર મળ્યું, જે સોમવારે લગ્ન સમારંભનું આયોજન કરવા માટે સંમત થયું.</p> <p><strong>બંને કોવિડ ડ્યુટી પર છે</strong></p> <p>તેમણે કહ્યું કે રવિવારે, મંદિરમાંથી કોઈએ તેમને પૂછવા માટે ફોન કર્યો હતો કે શું તેઓ લગ્ન મુલતવી રાખવા તૈયાર છે કારણ કે સ્થળ પાણીથી ભરાઈ ગયું છે. પરંતુ તે બંને આરોગ્ય કર્મચારીઓ છે જેઓ કોવિડ ડ્યુટી પર છે, તેથી તેઓ પોતે જ જાણતા ન હતા કે તેમને લગ્ન માટે ક્યારે રજા મળશે. તેથી તેઓએ તેને મુલતવી ન રાખવાનો નિર્ણય કર્યો. આ પછી મંદિરના સત્તાવાળાઓએ કહ્યું કે તેઓ તેમને સ્થળ પર લઈ જવા માટે જરૂરી વ્યવસ્થા કરશે.</p>

from india https://ift.tt/3BPHXmV

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...