મુખ્ય સામગ્રી પર જાઓ

લોક રક્ષક ભરતી માટેની શારીરિક કસોટીને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે યોજાશે?

<p><strong>ગાંધીનગરઃ</strong> લોક રક્ષક ભરતી માટેની શારીરિક કસોટી આગામી 1 થી 10 ડિસેમ્બર વચ્ચે શરૂ થવાની સંભાવનાઓ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, લોકરક્ષક ભરતીની જાહેરાતમાં વિલંબ થતાં હવે શારીરિક કસોટી ડિસેમ્બરની ૧ થી ૧૦ તારીખની વચ્ચે શરૂ થવાની સંભાવના છે. નોંધનીય છે કે, આ વખતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઇ) અને લોક રક્ષક માટે એક જ શારીરિક પરીક્ષા આપવાની છે. ત્યારે બંને ભરતી માટે ઉમદેવારી કરનારે એક જ વાર પરીક્ષા આપવાની રહેશે.</p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">લોકરક્ષક ભરતીની જાહેરાતમાં વિલંબ થતાં હવે શારીરિક કસોટી ડિસેમ્બરની ૧ થી ૧૦ તારીખની વચ્ચે શરૂ થવાની સંભાવના છે.</p> &mdash; Hasmukh Patel (@Hasmukhpatelips) <a href="https://twitter.com/Hasmukhpatelips/status/1450326003201425408?ref_src=twsrc%5Etfw">October 19, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>અગાઉ આગામી ત્રણ મહિનામાં ગુજરાતમાં પોલીસ ભરતી કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે મોટી જાહેરાત કરી છે. &nbsp;તેમણે ટ્વીટ કર્યું હતું કે, લોકરક્ષક ભરતીની ટૂંકમાં જાહેરાત થશે. 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલ ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પો.સ.ઇ ભરતી બોર્ડે તારીખ 20/10/21 અરજીઓ મંગાવેલ છે. https://ift.tt/3Ds4Ywy પર અરજી કરી શકાશે. લોકરક્ષક ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">સરકાર દ્વારા વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપતા પો.સ.ઇ ભરતી માટેની અરજી હવે તારીખ ૨૭/૧૦/૨૧ સુધી સ્વીકારવાનો પો.સ.ઇ ભરતી બોર્ડ નો નિર્ણય.<a href="https://ift.tt/3aQmpe3> &mdash; Hasmukh Patel (@Hasmukhpatelips) <a href="https://twitter.com/Hasmukhpatelips/status/1449395871053803521?ref_src=twsrc%5Etfw">October 16, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><br />ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પોસઈ) , લોક રક્ષક દળની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી યોજાશે. બંને માટે ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ પરીક્ષા આપવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયામા માહિતી આપી હતી.&nbsp;</p> <p>રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે, એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ. &nbsp;</p> <p>ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા.૧૯.૯.ર૦ર૧ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષશ્રીઓ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યાં છે.&nbsp;</p> <p>ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત ૨૭૮૪૭ જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. &nbsp;</p> <p>રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે. આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3FSAPIO

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...