મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત ભાજપના નેતાની ચોંકાવનારી ટ્વિટ, ‘ન્યાયતંત્ર વેન્ટિલેટર પર !’, જાણો આવું કેમ લખ્યું ?

<p><strong>અમદાવાદઃ</strong> દેશની અદાલતોમાં વધી રહેલા કેસો વચ્ચે ગુજરાત ભાજપના એક નેતાએ&nbsp;&lsquo;ન્યાયતંત્ર વેન્ટિલેટર પર !&rsquo;&nbsp;એવી ચોંકાવનારી ટ્વિટ કરી છે.&nbsp;અમરેલી જિલ્લા ભાજપના&nbsp;ભૂતપૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે દેશની કોર્ટમાં પેન્ડિંગ કેસ અને ખાલી પડેલી ન્યાયધીશોની જગ્યાઓના આંકડા આપીને&nbsp;&lsquo;ન્યાયતંત્ર વેન્ટિલેટર પર !&rsquo;&nbsp;&nbsp;એવી ટ્વિટ કરી છે.</p> <p>ડો. કાનાબારે ટ્વીટ કરી દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસના આંકડા&nbsp;જાહેર કર્યા છે.&nbsp;ટ્વિટમાં તેમણે&nbsp;લખ્યું છે કે,&nbsp;&nbsp;દેશમાં નવો કેસ ના નોંધાયો તો પણ જે પેન્ડિંગ કેસ છે તેના નિકાલ માટે&nbsp;360&nbsp;વર્ષ લાગી જાય.&nbsp;તેમણે&nbsp;લખ્યું છે કે,&nbsp;દેશની&nbsp;વિવિધ કોર્ટમાં કુલ&nbsp;4.50&nbsp;કરોડ કેસ પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં જજોની&nbsp;42&nbsp;ટકા અને નીચલી અદાલતમાં&nbsp;5&nbsp;હજારથી વધુ જગ્યાઓ ખાલી પડી છે. દેશની કોર્ટમાં&nbsp;જો&nbsp;&nbsp;એક પણ&nbsp;નવો કેસ દાખલ ના થાય તો પણ અત્યારના તમામ પેન્ડિંગ કેસોનો નિકાલ થતા&nbsp;360&nbsp;વર્ષ લાગે.&nbsp;&nbsp;ડો. કાનાબારે ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય&nbsp;કાયદા&nbsp;મંત્રી મીનાક્ષી લેખીને ટેગ કર્યા&nbsp;છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">ન્યાયતંત્ર વેન્ટિલેટર પર !<br /><br />🔵 કુલ 4.5 કરોડ કેસ પેન્ડિંગ<br />🔴 હાઇકોર્ટ જજોની કુલ 42 % પોસ્ટ ખાલી <br />🔵 નીચલી અદાલતોમાં 5 હજારથી પણ વધારે જજોની જગ્યા ખાલી<br />🔴 જો એક પણ નવો કેસ દાખલ ના થાય તો પણ અત્યારના તમામ પેન્ડિંગ કેસોનો નિકાલ થતા 360 વર્ષ લાગે !!<a href="https://twitter.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> <a href="https://twitter.com/AmitShah?ref_src=twsrc%5Etfw">@AmitShah</a> <a href="https://twitter.com/M_Lekhi?ref_src=twsrc%5Etfw">@M_Lekhi</a> <a href="https://t.co/O1v1UO1qrE">pic.twitter.com/O1v1UO1qrE</a></p> &mdash; Dr. Bharat Kanabar (@KANABARDr) <a href="https://twitter.com/KANABARDr/status/1452562093178167296?ref_src=twsrc%5Etfw">October 25, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>&nbsp;ડો. કાનાબાર ભાજપના નેતા હોવા છતા પણ આ પહેલા વિવિધ મુદ્દે ટ્વીટ કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે.&nbsp;ડો. ભરત કાનાબારે થોડા દિવસ પહેલા&nbsp;બિસ્માર રોડ રસ્તા મામલે ટ્વીટ કર્યું હતું. તેમણે&nbsp;&nbsp;લખ્યું હતું કે,&nbsp;એક-બે ચોમાસામાં જ રસ્તાના ટુકડા થઈ જાય તેવા નબળા રોડ બનાવતા લેભાગુ કોન્ટ્રાકટરો,&nbsp;કટકીબાજ અધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ લોકસેવકોની ટોળકી જ ખરા અર્થમાં&nbsp;'ટુકડે ટુકડે'&nbsp;ગેંગ છે. જેમના કારણે લોકોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે.</p> <p>&nbsp;આ ટ્વીટ ડો. કાનાબારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,&nbsp;પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટેગ કર્યા હતા.&nbsp;ડો. ભરત કાનાબાર અમરેલી જિલ્લાના ભાજપના નેતા છે. તેઓ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. ટ્વીટર પર તેમને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ ફોલો કરી રહ્યા છે.</p>

from gujarat https://ift.tt/2ZAiEHF

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...