મુખ્ય સામગ્રી પર જાઓ

સૌરાષ્ટ્રમાં ક્યાં વીજળી પડતાં બે યુવકોનાં થયાં મોત ? વરસાદના કારણે ક્યાં પલળી ગઈ કરોડોની મગફળી?

<p>સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે મેઘ વરસતાં વીજળી પડતાં બે યુવાનના મોત થયા છે.</p> <p>સૌરાષ્ટ્રમાં ગઇ કાલ ગાજ વીજ સાથે વરસાદ પડતાં મગફળીના મોટા જથ્થાને નુકસાન થયું છે તો બીજી તરફ અને શિવરાજપુરમાં બે પશુનાં મોત થયાં છે.ચુડામાં વીજળી પડતાં બે વ્યક્તિએ જીવ ગૂમાવ્યાં છે. તલાલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ &nbsp;મૂળધાર વરસાદ પડયો. ગડુ અને આસપાસના વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ થયો હતો. કોડીનાર તાલુકામાં 19 મીમી, પ્રભાસ પાટણમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. જેના પગલે મગફળીના મોટો જથ્થો પણ પલળી ગયો હતો.સૌરાષ્ટ્રમાં આસોમાં મેઘરાજા મનમૂકીને રહ્યાં અહીં ઉનામાં 3 ઇંચ, તો જૂનાગઢમાં એક ઇંચ,કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો.</p> <p><strong>ગીર સોમનાથમાં વરસાદથી નુકસાન</strong></p> <p>ગીર સોમનાથમાં વરસાદના કારણે મગફળીને ભારે નુકસાન થયું છે. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં &nbsp;મગફળીના તૈયાર પાક પર પાણી ભરી વળ્યું છે. અહીં ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઇ ગયું હતું. જેના પગલે મગફળીના પાથરા પલળી જતાં મગફળીના મોટો જથ્થો બગડી ગયો છે. &nbsp;માળીયા તાલુકાના પીપળવા,ચુલડી, બરૂલા, ખોરાસા, જાનુડા, શાંતિપરા, સીમાર, સુખપૂર, સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે સમગ્ર પંથકમાં 1 કલાકમાં ગાજવીજ સાથે અડધોથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના કારણે મગફળીના તૈયાર થઇ ગયેલા પાકને નુકસાન થયું છે. હાલ ખેતરમાં મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. પાછળના વરસાદે આ તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડતા પાક સુંપૂર્ણ નિષ્ફળ જાય તેવી ચિંતા ધરતીપુત્રોને સતાવી રહી છે.</p> <p>આ પણ વાંચો</p> <p><a title="CSKvsDc : દિલ્હીને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021 ફાઈનલમાં, ગાયકવાડ અને ઉથપ્પા બન્યા જીતના હીરો" href="https://ift.tt/3AuI3yI" target="">CSKvsDc : દિલ્હીને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021 ફાઈનલમાં, ગાયકવાડ અને ઉથપ્પા બન્યા જીતના હીરો</a></p> <p><a title="Covid Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંક 95 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી" href="https://ift.tt/3DtC13i" target="">Covid Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંક 95 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી</a></p> <p><a title="T-20 વર્લ્ડ કપમાં પહેલી વાર અમલી બનશે આ મહત્વનો નિયમ, જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન ?" href="https://ift.tt/3luQzcV" target="">T-20 વર્લ્ડ કપમાં પહેલી વાર અમલી બનશે આ મહત્વનો નિયમ, જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન ?</a></p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3arhMH8

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...