મુખ્ય સામગ્રી પર જાઓ

ખેડૂતો પર આફતનો વરસાદ, પાછોતરા વરસાદથી મગફળી, સોયાબીન અને બાજરીના પાકને મોટું નુકસાન

<p>પાછોતરા વરસાદના કારણે મગફળી,સોયાબીન અને બાજરી સહિતના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા સહિતના વિસ્તારમાં આફતરૂપી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ખેડૂતોના મતે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો. પાકની લલણીના સમયે જ વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. પાછોતરા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો હતો. ન માત્ર મગફળી બલકે અડદ,મગ,સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે.</p> <p>ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોના ઉના, કોડીનાર, સુત્રાપાડા, વેરાવલ કે પછી ગીર ગઢડા તમામ વિસ્તારોના ખેડુતોને હાલ રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે. ગીર પંથક માં સતત વરસાદ ખાબકી રહ્યો છે અલગ અલગ દિવસો એ અલગ અલગ વિસ્તારો મા વરસાદ અને વરસાદી ઝાપટા પડી રહ્યા છે જેને કારણે ખેડૂતો ના પાક તહસ નહસ થઈ રહયા છે.</p> <p>કોડીનાર ના મિતિયાજ ગામના ખેડૂત વિજય ભાઈ અને અરસીભાઈ જેમને 8 વિઘા જમીન છે અને 3 વિઘા મગફળી નો પાક છે આ ખેડૂત પાક લણી રહયા હતા ત્યાંજ વરસાદે એન્ટ્રી કરી અને આ ખેડૂત ના મોમાં આવેલો કોળિયો આચકી લીધો હતો.</p> <p>ખેડુત મહિલા લાભુબેન જે ખેતી પર નિર્ભર છે એમનું કહેવું છે કે 4 પાંચ મહિના પહેલા અમારે અડદ અને મગ નું વાવેતર હતું સારો એવો પાક હતો પરંતુ જ્યારે તે લણવા માટે ત્યાર થયો તે જ સમયે તોકતે ત્રાટક્યું અને અમારો બધોજ પાક અને પશુનો ચારો નાશ પામ્યો છે. અમે હિંમત કરી જેમતેમ મગફળી નું વાવેતર કર્યું એ આશા એ કે દિવાળીની સિઝન સારી જશે તો બેઠા થઈ જશું પણ અમારી સાથે આ સિઝનમાં પણ કુદરત કોપાયમાન થયો અને મગફળી લનતા સમયે જ વરસાદ ત્રાટક્યો અને બધુજ તહસ નહસ થયું છે.</p> <p>ગીર સોમનાથ જીલ્લામાં એક લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થાય છે જેમાં મોટા ભાગનો પાક તબાહ થયો છે બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતો ને રાહત મળશે કે કેમ તે ફોડ પડાયો નથી.</p>

from gujarat https://ift.tt/3auulS2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...