મુખ્ય સામગ્રી પર જાઓ

આર્યન ખાન સાથે સેલ્ફી લેનાર વ્યક્તિ વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર, જાણો શું છે આરોપ

<p><strong>પુણે:</strong> 2018 ના છેતરપિંડીના કેસમાં ક્રૂઝમાંથી ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં NCB ના સાક્ષી કે.પી.ગોસાવી વિરુદ્ધ પુણે પોલીસે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. લુકઆઉટ સર્ક્યુલર એક નોટિસ છે જે લોકોને દેશ છોડતા અટકાવે છે.</p> <p>પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ બુધવારે જણાવ્યું હતું કે, અમે ફરસાખાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં 2018 ના ફરાર કેપી ગોસાવી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડી છે.</p> <p>કેપી ગોસાવી એ જ વ્યક્તિ છે જેની સેલ્ફી આર્યન ખાનની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. બાદમાં NCB એ સ્પષ્ટતા કરી કે તે અમારા વિભાગના અધિકારી નથી. એનસીપીના નેતા નવાબ મલિકે પણ કેપી ગોસાવી અંગે એનસીબી પર આક્ષેપો કર્યા હતા.</p> <p>ક્રુઝ શિપમાંથી કથિત રીતે ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં ગોસાવી નવ સ્વતંત્ર સાક્ષીઓમાંના એક છે. આ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગોસાવી સામે મલેશિયામાં નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.</p> <p><strong>આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી</strong></p> <p>છેલ્લા 7 દિવસોથી મુંબઈની આર્થર રોડ જેલમાં આર્યન ખાન બંધ છે અને જામીન માટે રાહ જોઈ રહ્યો છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ આર્યન ખાનની જામીન પર આજે નિર્ણય આવી શકે છે. બુધવારે તેમના જામીન પર લાંબી ચર્ચા ચાલી હતી.</p> <p>કોર્ટમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના વકીલોએ આગ્રહ કર્યો કે તેમને જામીન મળે. પરંતુ સમય પુરો થવાના કારણે સુનાવણી ગઈકાલ માટે મુલતવી રાખવામાં આવી હતી. હવે આજે 12 વાગે આ મામલે ફરી સુનાવણી થશે.</p> <p>NCB તેના આરોપોને પુરવાર કરવા માટે વધુ પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. આ સંબંધમાં, ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ ખત્રીને NCB દ્વારા આજે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અત્યાર સુધીની પૂછપરછમાં ઈમ્તિયાઝને બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથેના તેના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યા હતા.</p> <p>&nbsp;ઈમ્તિયાઝને આર્યન ખાન વિશે પણ પૂછવામાં આવ્યું. NCB એ ઈમ્તિયાઝને પૂછ્યું હતું કે શું આર્યન ડ્રગ્સ કરે છે? હવે આજે નજર કોર્ટની સુનાવણી પર છે, NCB ના આરોપોના જવાબમાં બચાવ પક્ષના વકીલોની દલીલો શું છે.</p>

from india https://ift.tt/3DCxtI2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...