મુખ્ય સામગ્રી પર જાઓ

Coal Crisis: દેશ પર તોળાઇ રહેલા વીજ સંકટ વચ્ચે મોદી સરકારના મંત્રીએ શું સ્પષ્ટતા કરી જાણો

<p><strong>Coal Crisis:</strong>કોલસાની કટોકટી: કોલસાની અછતને કારણે, વીજળીની કટોકટીનો સામનો કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી જોખમ ટળ્યું નથી.</p> <p>મંગળવારે ઉર્જા મંત્રી આર. કે. સિંહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં બંને મંત્રીઓએ પ્રધાનમંત્રીને કોલસા પુરવઠાની તાજા અપડેટ વિશે માહિતગાર કર્યાં હતા. &nbsp;સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલા પગલાં અને આગળની કાર્ય યોજનાની સમીક્ષા કરી હતી. બંને મંત્રીઓએ પીએમ મોદીને કહ્યું કે દેશમાં કોલસાની કોઈ અછત નથી અને આગામી દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.</p> <p>પ્રધાનમંત્રી સાથે બે મંત્રીઓની બેઠક પૂર્વે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ બંને મંત્રાલયોના સચિવો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ઉર્જા મંત્રાલયના સચિવ આલોક કુમાર અને કોલસા મંત્રાલયના સચિવ અનિલ કુમાર જૈને કેબિનેટ સચિવ સાથેની બેઠકમાં કોલસાની ઉપલબ્ધતા અને વીજળીની વર્તમાન પરિસ્થિતિ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. પ્રેઝન્ટેશનમાં બંને સચિવોએ જણાવ્યું હતું કે કોલસાની કોઈ અછત નથી, તેથી 7-10 દિવસમાં વીજ ઉત્પાદન પ્લાન્ટોને કોલસાનો પુરવઠો સામાન્ય થવાનું શરૂ થશે.</p> <p>પ્રેઝન્ટેશનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી 19.20 લાખ ટન કોલસો પાવર પ્લાન્ટ્સને આપવામાં આવ્યો છે, જ્યારે માંગ 18.70 લાખ ટન છે. બેઠક બાદ કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 21 ઓક્ટોબરથી વીજ મંત્રાલય દ્વારા દરરોજ 20 લાખ ટન કોલસાની માંગ રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે વીજ મંત્રાલયની માંગ મુજબ કોલસો પૂરો પાડવામાં આવશે અને આગામી 15-20 દિવસમાં પ્લાન્ટ્સ પાસે મોજૂદ કોલસાના રિઝર્વ સ્ટોકની માત્રામાં પણ વધારો થશે.</p> <p>ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા જ એવો અહેવાલ હતો કે, વીજ પ્લાન્ટસ પાસે &nbsp;માત્ર 4 દિવસ ચાલે તેટલો જ કોલસો છે અને કોલસાની આપૂર્તિ સમયસર અને પ્રમાણસર ન થતાં દેશ પર વીજ સંકટ તોડાયું રહ્યું છે. આ મુદ્દે પીએમ મોદીએ મંગળવારે ઉર્જા મંત્રી આર. કે. સિંહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં બંને મંત્રીઓએ પ્રધાનમંત્રીને કોલસા પુરવઠાની તાજા અપડેટ વિશે માહિતગાર કર્યાં</p>

from india https://ift.tt/3lzWLjS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...